SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર રસધારા : ૫: પ્રશ્ન ૧૭—તિવિહારના પચ્ચકખાણવાળાથી રાત્રે પાણી ક્યાં સુધી વાપરી શકાય? ઉત્તર–અડધી રાત ગયા પછી પાણી પીવાની પ્રવૃતિ જણાતી નથી. પ્રશ્ન ૧૮–એકાસણું આદિમાં ખાતી વખતે પાટલે ડગે તે ડગ્યા પછી ખાઈ શકાય? ઉત્તર–એથી કાંઈ એકાસણાને બાધ આવતા નથી. એ તે કોઈ કીડી આદિ નીચે ચગદાય નહિ તેથી ડગતે હેય તે સ્થિર કરી લેવો જોઈએ. પ્રશ્ન ૧૯–સામાયક આદિ ક્રિયા કરતી વખતે સ્થાપનાજીને અડી જવાય તો આલયણ લેવી જોઈએ ? ઉત્તર–વગર કારણે અડવાની શું જરૂર? ઉપયોગ વિના અડાય તો આલેયણ લેવી જોઈએ. પ્રશ્ન ૨૦–ગરીબનિવાજ એટલે શું? ઉત્તર–ગરીબની સંભાળ લેનાર. પ્રશ્ન ૨૧–શિરતાજ કહેતા શું? ઉત્તર–મસ્તકમુગટ. પ્રશ્ન ફર–શરણાગત એટલે શું? ઉત્તર–શરણે આવેલો. પ્રશ્ન ર૩-પુસ્વાદાની પાર્શ્વજિનેશ્વર; તેમાં પુરુષાદાની એટલે શું? ઉત્તર–પુરુષોમાં આદાનીય એટલે ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) એટલે કે જેનું વચન કઈ લેપી શકે નહિ તે. પ્રશ્ન ર૪ કેવળજ્ઞાન થયા પછી તીર્થકર ભગવાનને અસાતા વેદની સત્તામાં તો ઇ શકે છે, પરંતુ ઉદયમાં પણ હોઈ શકે છે? ઉતર–શ્રમણ ભગવાન મહાવીરની પેઠે અસતાવેદનીને ઉદય હાઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy