SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરવરવારશત્ શત પણ જમીને સાંઝે કેમ પિસહ ન કર્યો ? તેથી જણાય છે કે જમ્યા પછી પિસહ ન થાય. વળી શંખશ્રાવકના અધિકારે શંખશ્રાવકે શતકાદિકને કહ્યું કે–આપણે જમીને પિસહ કરશું પરંતુ એમ કેમ ન કહ્યું ? કે આપણે જમીને ચતુર્વિધ પૌપઘ વ્રત કરશું, [એટલેજ તે ખરતર ગ૭ વિભૂષણ નવાંગ ટીકાકાર શ્રીઅભ્યદેવ સૂરિજી મ. સ્પષ્ટ કળે છે કે શંખ શ્રાવકે જમીને અવ્યાપાર પધધ યા તે પર્વ દિવસે ઈષ્ટજન (સાધમિકે) ને ભોજન દેવા રૂપ પૌષધ કરવાનું કહેલ છે. નહી કે વ્રતરૂ૫ ચતુર્વિધ પૌષધ કરવાનું ] તેથી જાણીયે છીયે કે જમ્યા પછી અગ્યારમે પપવાસવત ન થાય, વળી “ પોરહું દુઓ પરd, જાડું ન વિણ ” આ ઉત્તરાધ્યયન સૂત્રના પાઠને અર્થ એ છે કે-જે કોઈ કાર્યની વ્યગ્રતાને અંગે પર્વદિવસે દિવસને પૌષધ ન થઈ શકે છે તે રાત્રિએ પૌષધ કરે. પરંતુ તે પર્વ દિવસની રાત્રિ એક પણ પૌષધ કર્યા વગર ગમાવેજ નહીં. એટલે જમીને પિસહ કરવાનું નથી કહ્યું, વિચારજો. ઉત્તરાધ્યયનની ટીકામાં પણ લખ્યું છે કે–જે ધર્મની પુષ્ટિ કરે તે આહાર પૌપઘાદિ ચાર પ્રકારનું પૌષધ શુકલ અને કૃષ્ણ પક્ષની ચતુર્દશી પૂર્ણિમા આદિ (પ) તિથિઓમાંથી એક પણ તિથિની રાત્રિ કે દિન પૌષધ કર્યા વગર જવા ન દે, મતલબ કેકેઈ કાર્યની વ્યગ્રતાના અંગે દિવસને પૌષધ ન કરી શકે તો રાત્રિએ પણ પૌષધ કરે. વળી જમ્યા પછી પૌષધ કરવાનું માનતાં સવારે જમીને કોઈ પૌષધ કરે ત્યાર બાદ ત્રીજા પહોરે ફરી પિસહમાં જમે. એવા પિસહ કરતાં લેકમાં શોભા શું પામે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy