SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષમદોષ ભગવાને એક પણ જીવનાં કર્માંના ક્ષય કર્યાં નથી, છતાં કક્ષ્ય માટે તેના આલખનની અપેક્ષા તે અવશ્ય છે જ. ૭૩ દેખતા અને આંધળા અંધારી ગુફ્રામાં હાય ત્યારે ભલે અન્ને સમાન સ્થિતિવાળા દેખાય, છતાં દીવા થાય ત્યારે દેખતા (લાયક) તે દેખતા જ છે અને આંધળા (અયેાગ્ય) તે આંધળા જ છે, પરંતુ દેખતાને દીવા ન હોય તેા અથડાવાનું જ છે. દેખતા તીર્થંકર ભગવાનની વાણીરૂપી પ્રકાશને અજવાળે પેાતાના સ્વરૂપને જોઈ શકે છે અને આંધળા (અયેાગ્ય) તેવા લાભ નથી મેળવી શકતા. એટલે ભવી આત્માઓને માટે આ રીતે કમ ક્ષયના માર્ગમાં શ્રી જિનેશ્વરદેવની ઉપકારતા અનંત છે. શ્રી જિનેશ્વરદેવ બીજા આત્માનાં કમના ક્ષય પાતે કરી શ્વેતા નથી, છતાં તે ઉપકારી છે. કારણ કે તેમનાં વચને કક્ષયના સાધનભૂત છે. એ વચના (શાસ્ત્રા)નું આલ’મન ન હાય તે આપણે કલ્યાણ નથી કરી શકતા. આંખથી જોવાના પ્રયત્ન કરે, પરંતુ અજવાળું ન હોય તા હીરા અને કાંકરાના વિવેક નથી થઈ શકતા. તેવી રીતે શ્રી જિનેશ્વરદેવના વચનરૂપી અજવાળું ન હોય તે મેક્ષનાં કારણા અને ભવભ્રમણનાં કારણેાના વિવેક ન થઈ શકે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy