SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નમદી૫ માયા (કપટ) કરવાને ખપ પડે છે. અપ્રતિષ્ઠાથી બચવા માટે અવગુણ સુધારવાને બદલે ઢાંકે અને પ્રતિષ્ઠા મેળવવા માટે ગુણ મેળવવાને બદલે ગુણ તરીકેની ડંફાશ મારે, આ પ્રકારનું વર્તન વૈરાગ્યના પાયા પર ઘા કરે છે. ૫ પ્રશ્ન ૬૪ - સત્તા અને વૈભવના વિષયમાં તે અજ્ઞાનમાં ડૂબેલા દંભ અને કપટ કરે છે, પરંતુ ત્યાગ અને વૈરાગ્ય જેવા પવિત્ર ગુણ માટે તેવું કરવાનું શું પ્રજની ઉતરઃ વૈરાગ્ય એ એક એવું અપૂર્વ રત્ન છે કે જેને એ પરમ તત્વની પ્રાપ્તિ થઈ તેનાં ચરણમાં કેટિ ધ્વજે તે શું, પરંતુ મોટા ચક્રવતીએ પણ નમી પડે છે. જે ગુણ વધારે મહુર્વને હોય, તેને સદુપયોગ જેમ સમજદારે કરે છે, તેમ અણસમજુ તેને દુરુપયોગ પણ તેટલે વધારે કરે, તે એક નિયમ છે. મૂલ્ય પ્રાપ્ત કર્યા વિના જ જે મહત્વનું બની જવું હોય, તેને લાનું શરણું સ્વીકાર્યા વિના અન્ય કયે માર્ગ હઈ શકે ? વનને રાજા બની જવાના કોડ જ્યારે કૂતરાને જાગે ત્યારે સિંહના સ્વાંગને ડેળ તેને અવશ્ય કરવાનો જ રહ્યો. કિંમતી ગણાતી વસ્તુની જ જગતમાં નકલે થાય છે. હીરા, મોતી, સુવર્ણ, વગેરેની નકલ થાય, પરંતુ ધૂળ, ફ, કાંકરા, કે કેલસાની નકલ કઈ કરતું નથી. ૬ પ્રશ્ન ૬૫ – આત્મ કલ્યાણને ઈરછ અને સંયમને પ્રેમી આત્મા આવા કોઈ દંભીને દેખે તે શું તેના પ્રપંચમાં પડે ખરે? તે સમયે જ્ઞાનના કેવા ભાવે વિચારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy