________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત સ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ધાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી ફુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિયુક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોલાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં
વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ'માં મેં નોંધેલ છે. કૃતિ સનમ્...
મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી કુંથુનાથ પરિચય”