________________
नमो नमो निम्मलदंसणस्स
रायप्पसेणिय [राजप्रश्नीय ]
आगम प्रकार ‘उपांगसूत्र'
आगमसूत्र १३
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૮૫ છે, ગાથા છે જ નહિ. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત જ છે. આ આગમમાં પદ્ય વિભાગ એટલે કે ગાથા એકપણ નથી.
મ- ૦૨
આગમનો વિભાગ:
‘સૂત્રકૃત’ આગમના ઉપાંગરૂપ આ રાજપ્રશ્નીય આગમમાં પ્રત્યક્ષરૂપે અધ્યયનાદિ કોઈ વિભાગ નથી, પરંતુ વિષયની દૃષ્ટિએ સૂર્યાભદેવ અને પ્રદેશીરાજા બે વિભાગ પડે છે.
આગમનો મુખ્ય વિષય:
‘રાજપ્રશ્નીય’ આગમમાં કથાનુયોગની મુખ્યતા તો છે જ, તેમાં ‘પ્રદેશીરાજાની કથા અને મૃત્યુ પછી ‘સૂર્યાભદેવ’રૂપે ઉત્પત્તિ, એ મુખ્યપણે ધર્મકથા છે, પણ સૂર્યાભદેવનું વર્ણન, દેવલોકથી તેમના રસાલા સાથે આગમન પૂર્વે તેમની તૈયારી, દિવ્યવિમાનનું વિસ્તૃત વર્ણન, સૂર્યાભદેવે પૂછેલા ધર્મ-પ્રશ્નો, તેણે દેખાડેલ નાટ્યવિધિના માધ્યમથી વિવિધ નાટકો-ગીત-સંગીત-અભિનય આદિની છણાવટ, તથા પ્રદેશી રાજાના ભવમાં તેણે પૂછેલ ‘જીવ’ વિષયક પ્રશ્નોત્તર કે જે સમગ્ર ગણધરવાદનું બીજ છે, તે બધામાં કથા-ચરણકરણ અને દ્રવ્ય એ ત્રણે અનુયોગનું સુંદર દર્શન થાય છે.
અહીં સૂત્ર ૧ થી ૪૭ માં સૂર્યાભદેવનું, સૂત્ર ૪૮ થી ૮૫ માં પ્રદેશીરાજાનું કથન છે. રાજપ્રશ્નીય આગમમાં એક નાસ્તિક રાજાનું જીવન સદગુરુના યોગથી કેવું પરિવર્તન પામે છે, એકાવતારી થઈને આગામી ભવે મોક્ષ-પ્રાપ્ત કરે છે તેનો પુરાવો છે અને બત્રીશબદ્ધ નાટક એ દેવલોકની કેવી વિશેષતા છે તેનું અહી દર્શન છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [13]
[31]
ૐ