SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 'नमो नमो निम्मलदसणस्स उववाइय [औपपातिक] आगमसूत्र १२ आगम प्रकार મ- ૦? આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૪૩ છે, ગાથા ૩૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: (આચાર અંગસૂત્રના ઉપાંગરૂપ) ઔપપાતિક આગમમાં પ્રત્યક્ષ તો અધ્યયનાદિ કોઈ વિભાગ નથી પણ વિષયની દૃષ્ટિએ સમવસરણ અને ઉપપાત એમ બે વિભાગ પડે છે. આગમનો મુખ્ય વિષય: “ઔપપાતિક’ આગમ બાહ્ય-દ્રષ્ટીએ કથાનુયોગ યુક્ત લાગે છે, પરંતુ ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બંને આ આગમમાં સુંદર રીતે વણાયેલા છે. આ આગમમાં નગરી, વૃક્ષ, વનખંડ. પૃથ્વીશિલાપટ્ટક, રાજા, રાણી, ભ૦ મહાવીર, પરમાત્માના વંદનાર્થે ગમન, ભગવંતના શ્રમણો, તપ, દેવ-દેવી, ધર્મ પ્રવચન, ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર, ઉપપાત(જન્મ), અંબડ પરિવ્રાજક, કેવલી સમુધ્ધાત આદિ અનેક વિષયો સમાવાયા છે. આ આગમની એક વિશેષતા છે કે બીજા આગમોમાં રાજા-રાણી-નગરી આદિના વર્ણન માટે ‘ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું એમ કહીને આ આગમનો હવાલો આપેલ છે. ઔપપાતિક આગમમાં ધ્યાનાકર્ષક વિષયમાં- 1. કોણિરાજા ભ૦ મહાવીરના વંદનાર્થે ગયા તે વખતનું અતિ અદ્ભુત વર્ણન છે, 2.અંબડ પરીવ્રાજકનું જીવન અને ભાવિમાં દઢપ્રતિજ્ઞ નો ભવ એ બંને અતિ અનુકરણીય અને મનનીય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [12] [29]
SR No.035100
Book TitleAagam Sankshipta Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_related_other_literature
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy