________________
'नमो नमो निम्मलदसणस्स
उववाइय [औपपातिक]
आगमसूत्र १२
आगम प्रकार
મ- ૦?
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૪૩ છે, ગાથા ૩૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
(આચાર અંગસૂત્રના ઉપાંગરૂપ) ઔપપાતિક આગમમાં પ્રત્યક્ષ તો અધ્યયનાદિ કોઈ વિભાગ નથી પણ વિષયની દૃષ્ટિએ સમવસરણ અને ઉપપાત એમ બે વિભાગ પડે છે.
આગમનો મુખ્ય વિષય:
“ઔપપાતિક’ આગમ બાહ્ય-દ્રષ્ટીએ કથાનુયોગ યુક્ત લાગે છે, પરંતુ ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બંને આ આગમમાં સુંદર રીતે વણાયેલા છે. આ આગમમાં નગરી, વૃક્ષ, વનખંડ. પૃથ્વીશિલાપટ્ટક, રાજા, રાણી, ભ૦ મહાવીર, પરમાત્માના વંદનાર્થે ગમન, ભગવંતના શ્રમણો, તપ, દેવ-દેવી, ધર્મ પ્રવચન, ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર, ઉપપાત(જન્મ), અંબડ પરિવ્રાજક, કેવલી સમુધ્ધાત આદિ અનેક વિષયો સમાવાયા છે. આ આગમની એક વિશેષતા છે કે બીજા આગમોમાં રાજા-રાણી-નગરી આદિના વર્ણન માટે ‘ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું એમ કહીને આ આગમનો હવાલો આપેલ છે. ઔપપાતિક આગમમાં ધ્યાનાકર્ષક વિષયમાં- 1. કોણિરાજા ભ૦ મહાવીરના વંદનાર્થે ગયા તે વખતનું અતિ અદ્ભુત વર્ણન છે, 2.અંબડ પરીવ્રાજકનું જીવન અને ભાવિમાં દઢપ્રતિજ્ઞ નો ભવ એ બંને અતિ અનુકરણીય અને મનનીય છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [12]
[29]