SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યથાસ્ત્ર વગેરેનો સુન્દર અભ્યાસ કર્યો છે. દીક્ષા પર્યાયના માત્ર આડ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ કરેલ અભ્યાસની નોંધ આ મુજબ છે. વ્યાકરણ–હૈમવધુ પ્રક્રિયા, સિદ્ધ હેમ લધુ કૃતિ, તથા બૃહદ ત્તિનું અવલોકન. સાહિત્ય–સાહિત્યદર્પણ, કાવ્યાનુંશાસન, રસગંગાધર, વૃત્તરત્નાકર, આદિ ગ્રંથને અભ્યાસ, તેમજ પરિચય પૂર્વક સાહિત્યમાં સરી નિષ્ણુતતા મેળવી છે. તે વિષયક મયૂરદૂત કાવ્ય, સાહિત્ય શિક્ષા મંજરી, મુકિત કુમુદચંદ્ર નાટકની ટીકા વિગેરે ગ્રંથ રચ્યા છે, જેમાંને સાહિત્ય શિક્ષા મંજરી ગ્રન્થ અમારી સભા તરફથી છપાય છે તે ટુંક સમયમાં પ્રગટ થશે. એ ગ્રંથમાં સંસ્કૃત સાહિત્યના દરેક વિવા, સંસ્કૃત સાહિત્ય રસિકોને અભ્યાસમાં પ્રોત્સાહન આપે એવી સરળરીતિએ સંક્ષેપથી વર્ણવ્યા છે. નવીન કાવ્યકરોને, કાવ્ય રચવામાં અને કવિત્વ શક્તિ ખીલવવામાં આ ગ્રન્થ અતિ ઉપયોગી થાય તેમ છે. સિદ્ધાંત-કર્મ ગ્રન્થ, ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ; વિશેષાવશ્યક ભાગ્ય વિગેરે શાસ્ત્રને સારો પરિચય કર્યો છે. હાલમાં એઓશ્રીની કલમથી લખાયેલા સિદ્ધાંત અને ન્યાયના સૂક્ષ્મ વિચારોથી ભરપૂર ધનહ્નવવાદના લેખે જેને સત્ય પ્રકાશ માસિકમાં નિયમિત પ્રકટ થઈ રહ્યા છે. ન્યાય–તક સંગ્રહ, મુક્તાવલી, દીનકરી, રામકી, તથા ભવ્ય ન્યાયમાં ચિંતામણિ ગ્રંથના જાગદીશી-વૃત્તિ સહિત વ્યાતિવાદના ગ્રંથ સિદ્ધાંત લક્ષણ-અવચ્છેદકત્વનિરુક્તિ-વ્યધિકરણ-પક્ષતા-અને ખ્યામિ અનુગમ તથા જ્ઞાનકાંડના ગ્રન્થામાં ગાદાધરીકૃત્તિયુક્ત-સામાન્ય નિક્ત, વ્યભિચાર, અનુપસંહારિ વિગેરે હેત્વાભાસના કન્વેને અભ્યાસ કરવા ઉપરાંત છએ દર્શનના પ્રાથમિક ગ્રન્થોને અભ્યાસ કર્યો છે. હાલમાં નવ્ય ન્યાય પ્રત્યેની વિવેચનાઓને અભ્યાસ કરી રહ્યા છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત ખંડન ખાદ્ય ગ્રન્થ ઉપર તેઓમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy