SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વાદ સામે બળવો જગાડવા માગે છે, એ સ્પષ્ટ જણાઈ આવે છે. સંપ ત્યાં સર્વ કાર્યો સુલભ એવું કહેનારાઓએ શ્રી સંઘને છિન્નભિન્ન કરવા બળ જગાડવા કહેવું એ શું મુક્ત છે ? ધર્મસંસ્થાઓ આપણને સામાજીક બાબતમાં બને તેટલા પછાત રાખવાનું અને પરસ્પર લડવાની જ પ્રેરણા આપવાનું કામ કરે છે.” ધર્મસંસ્થાઓએ હિતાકારી પથે જતાં અનેકને નિઃસ્વાર્થ ભાવે આગળ વધાર્યા છે. અને વિધવા વિવાહની બાબત જે ગણાવવા માગતા હો તે વૈધવ્ય સ્થિતિ અશુભ કર્મજન્ય છે, અશુભ કર્મ હટાવવા અશુભ કર્મોપાર્જન ન હોય, પણ કમેં ખપાવવા પરમ પ્રભુને બતાવેલ સુપંથ હોય. શું એ સુપથને પછાતને માર્ગ ગણાય કે? તારક તીર્થોને ઝુંટવી લેવા દિગંબરે જ્યારે અનુચિત પ્રયત્નો કરે તે અવસરે તારક તીર્થોની રક્ષા ખાતર જે પ્રયત્ન થાય તેને તીર્થ પ્રત્યે જે વ્યકિચીત પણ પ્રેમ હોય તો લડાઈનું ઉપનામ અપાય કે ? ધર્મસંસ્થાઓ લડાઈની જ પ્રેરણા આપવાનું કામ કરે છે એમ કહી ધર્મસંસ્થાઓ પ્રત્યેના પ્રેમીઓને ઉભગાવવા, લેકેમાં ધર્મસંસ્થાઓને હલકી પાડવા, વજુદ વગરને આ ઓછા રેષાગ્નિ ઠાલવ્યો ગણાય છે? કેવળ ધર્માન્જતાને ફેલાવતા “વીરશાસન” પત્રની સામે ત્યાર બાદ ખુબ હીલચાલ શરૂ થઈ. x x x નાનાં છોકરાંઓને માબાપથી છુપી રીતે ભગાડવાને તેમજ ભોળવીને દીક્ષા આપવાને જૈન સાધુ ને વ્યવસાય તો કેટલાય વર્ષોથી ચાલ્યા કરતો હતો, પણ રામવિજયજીએ આ અનિષ્ટ પ્રવૃત્તિનું ખુબ જેસથી સમર્થન કરવા માંડ્યું. પરમાનંદના ઉપર્યુક્ત અસત્ય અને હિચકારા આક્ષેપને જવાબ શ્રી વીરશાસન પત્રના તા. ૨૬ જુનના અંકમાં તંત્રી તરફથી અપાચેલે છે, અને તેને અંગે પરમાનંદને આક્ષેપો પુરવાર કરવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034991
Book TitleParmamand Kutark Samiksha
Original Sutra AuthorN/A
AuthorVijaybhadrasuri, Jainakvijay
PublisherBhogilal Karamchand Shah
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy