SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પૂજાના રચયિતા વિર્ય મુનિવર્ય શ્રી ધુરન્ધર વિજકજી મહારાજ છે. મહારાજશ્રીએ જામનગરના ચાતુર્માસમાં ભક્ત શ્રાવક હઠીસિંગ અમરચન્દની આગ્રહભરી વિનતિથી, ન્યાય-વ્યાકરણ-સાહિત્યાદિના વિવિધ ગ્રંથનું સતત લેખન અને અધ્યયન ચાલુ હોવા છતાં ફક્ત આઠ દિવસમાં જ આ પૂજાની રચના કરી છે. આ પૂજાની અમે પ્રથમ આવૃત્તિ શાહ હઠીભાઈ તરફથી તેમના પિતાશ્રીના શ્રેયાર્થે પ્રકટ કરી હતી. આ બીજી આવૃત્તિ અમદાવાળા હાલ ભાવનગર મહાલક્ષ્મી મીલના કુશલ સંચાલક શેઠ ભગિભાઈ મગનભાઈની સહાયતાથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. બીજી આવૃતિનું નિવેદન શેઠ ભાગિભાઈના ધીમાન મિત્ર શેઠ ખાન્તિભાઈ અમરચન્દભાઈની સં. ૨૦૦૧ ની સાલના પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજ્યામૃતસરી શ્વરજી મહારાજશ્રીના સપરિવાર ભાવનગરના ચાતુર્માસની સ્મૃતિરૂપે આ આવૃત્તિ પ્રકટ કરવાની ભાવના હોવાથી ભાવનગરમાં મહારાજશ્રીની સ્થિરતા દરમિયાન ઉજવાયેલા અનુમોદનીય પ્રસંગે અહીં દર્શાવીએ છીએ: ભાવનગર ચાતુર્માસના સ્મરણીય પ્રસંગે ૧ ભાવનગરમાં શ્રી નવપદારાધક મંડળની સં. ૨૦૦૦ ની સાલની બોટાદમાં અને સં. ૨૦૦૧ની સાલની પાલીતાણા અને તળાજામાં સતત આગ્રહભરી વિનતિથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વરજી શાન્તમૂર્તિ મુનીરાજશ્રી રામવિજ્યજી મ. આદિ ઠાણા સાત ચેત્રી ઓળી પ્રસંગે ભાવનગર પધાર્યા. વિધિ વિધાન સાથે ઉત્સાહપૂર્વક ઓળીની આરાધના થઈ. ૨ આ શ્રી આદિ જિન પંચકલ્યાણક પૂજા શ્રી આદિનાથ પ્રભુના મન્દિરમાં મોટા દેરાસર) શ્રી સંઘે ઘણું જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક પ્રથમવાર ભણાવી. તેમાં શાહ જેઠાલાલ ભગવાનદાસે અને શાહ જગજીવનદસે સારે લાભ લીધે. સંગીત કોવિદ માસ્ટર દીનાનાથે પૂજામાં સારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy