SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૮૩ (૨૭)-તે પિરામાં તે લખાણ પછી લેખકે જે-“તેઓની આ ભાંડણલીલાના ભયથી ઘણા તે બેલતા નથી.” એમ લખ્યું છે તે લેખકની જ તે બેધડક લખી નાખવાની આદતને આભારી છે. ખરી વાત એ છે કે-“તે વર્ગમાંના કેટલાયે નામદારોનાં નિજ મત ખાતર જિનમતને ઉથલાવી નાખવાનાં ઘર પ્રપંચ, ગરબડે, કાવત્રાં તેમજ જુઠાં લખાણવાળાં પુસ્તક અને જુઠાં લખાણે વગેરેને આ લેખકે, પિતાના નામથી અદ્યાપિ પર્યત શ્રીસંઘમાં અનેકવાર તે તે સ્વરૂપે સપ્રમાણ પણ સિદ્ધ કરી દઈને તેઓને નિડરપણે શાસનમાર્ગના ઉત્થાપકો તરીકે ઓળખાવી દેવામાં જરાય પાછી પાની કરેલ નહિ હોવાના ભયથી તેમાંના ઘણા તે અબેલ બની ગયા છે. તે વર્ગની એ વર્તતી સ્થિતિમાં પણ તે લેખકને એ રીતે મર્કટડા સૂઝયા છે તે અચ્છેસરૂપ છે. હવે તે “પાળેલા મર્કટે પિઢેલા માલિકના મુખ પર બેઠેલી માખીને ઉડાડવા સારૂ હાથમાંની તલવાર માલિકપર વીંઝીને માલિકનું મોત નીપજાવવા જેવું કાર્ય વખત જતાં તેવી કુટિલ કલમ દ્વારા આ ભાઈબંધ તે કરી બેસશે નહિ ને?” એ એમના માલિકે એ સજાગદષ્ટિએ જોતા રહેવાનું રહે છે. તેમની આ ચેપડીમાં તે લેખકે તેવું ઘણું અવળું બાહ્યું છે કે જેને લીધે તેના વડિલે વગેરેને ભવિષ્યમાં ઘણુ શોષવું પડે તેમ છે. (૨૮)-તે પિરામાં એ પછી લેખકે, મને-“શાસનની સાચી દાઝ વિનાને તેમને આ પક્ષીય રાગ-દ્વેષ તેમને ક્યાં લઈ જશે ?' એમ કલ્પિત લખીને મારી ચિંતા કરી છે, તેનાં કરતાં તેમણે “નિજનાં વચનેને “જિન”નાં વચને લેખાવવા સારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy