SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ વન્દન કરી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને તથા શાસ્ત્ર અને સદ્ગુરૂને પરમ ઉપકાર કરનાર ગણી સર્વથા શ્રેષ્ઠ આચરણુથી પ્રસન્ન રાખવાજ જોઇએ. જે પુરૂષાને ખરેખરૂં આત્મજ્ઞાન હોય છે. તેઓને સ્વપ્નામાં પણ વેદે નિષિદ્ધ કરેલા વર્તનમાં પ્રવૃત્ત થવા સંકલ્પ પણ આવત નથી. ભગવદ્ ભાષ્યકાર શ્રી શ`કરાચાર્યે ભગવાન બેહના અવિહિત આચરણોથી નષ્ટ થયેલા વર્ણ અને આશ્રમના ધર્મની સંસ્થાપના કરી વૈદિક ધર્મને ઉદ્ઘાર કર્યો છે. જ્યારે મડનમીશ્ર પરાજીત થયા અને તેમનાં ધર્મપત્ની સરસ્વતીએ શૃંગારાત્મક પ્રશ્ન પૂછ્યા ત્યારે આચાર્યશ્રીએ . આશ્રમ ધર્મની રક્ષા કરવા અમરૂ રાજાના શરીરમાં પ્રવેશ કરી ફરી પ્રગટ થઇ ઉત્તર આપ્યા છે પણ યથેષ્ટ આચ રણ કર્યુંજ નથી. તેમ જે જે ઉદ્ગાર કાઢયા છે તે કેવળ શાસ્ત્રના પ્રમાણપુરસરજ છે. શ્રીકૃષ્ણ કહે છે કે સંસારમાં ગુણુ અને કર્મના વિભાગ છે માટે તે તે ગુણુ અને કમને સેવવા માટે જ્યારથી સૃષ્ટિ શરૂ થઇ ત્યારથી બ્રહ્મારૂપે હે જ ચાર વર્ણોને સજ્યા છે, ચાતુર્વવ્થ મયાસનું મુળમેં વિષાતઃ। માટે તિથીજ વર્ણાશ્રમધર્મ માનવા. વિરદ્ સ્વરૂપનું વર્ણન વેદમાં પુરૂષસૂકતમાં આપ્યું છે તેમાં માહ્યળોડથ સમાતીત્ વગેરેથી ચારે વસ્તુની પ્રતીતિ વિરાટ્ સ્વરૂપની સાથેજ છે, શ્રીકૃષ્ણે અર્જુનને ક્ષત્રીય જન્મવાન્ માની ક્ષાત્ર ધર્મ પાળવા ઉપદેરા કીધા અને વષર્મેનિષનું શ્રેયઃ। હતોવા પ્રાથસિ વર્ન નિવાવા મોક્ષણેમહીં। ઈત્યાદિથી ક્ષત્રીય તરીકે ધર્મ બજાવવા તત્પર કીધા. જો ગુણુ કર્મથી જાતિ થતી હત તે તે વખતે તેને નપુંસકની પદ્મી આપી અતિ શુદ્રને ઈલકાબ આપી વિદાય કાં ન કરત ? વળી અર્જુન શ્રીકૃષ્ણના ભક્ત હતા શિષ્ય હતા છતાં દાસ તરીકે સ્વીકાર્યોજ નથી. પણ સખાભાવે ઉપદેશ આપ્યા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy