SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બેન મંજુલા છેટાલાલ ઉર્ફે સાધ્વી શ્રી પ્રભંજનાશ્રી ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલ બહેન મંજુલાએ બાલ્યાવસ્થાથી જ રાગ્યનું પાન કર્યું હતું. માંસારિક બંધનને કારણે તેઓ હદયની ભાવનાને વેગ આપી શક્યા ન હતા પરનું “ચમાવી તકુમાર એ નિયમાનુસાર તેમને એ તક મળી ગઈ અને પોતાની ઈચ્છા . ૧૯૯૮ ના ફા. શ. ૩ના રોજ બર આવી. તેમના પિતા શ્રીયુત છોટાલાલ પ્રેમજી મુંબઈના એક અગ્રગણ્ય શ્રીમંત સસ્પૃહસ્થ છે. માંગરોળના મૂળ વતની હોવા છતાં તેઓએ મુંબઈની આમ જનતામાં અદ્ભુત ચાહ મેળવ્યો છે. પોતાની પુત્રોની ઈચ્છાને માન આપી તેમણે દબદબાપૂર્વક દીક્ષા મહોત્સવ યે અને મુંબઈના આંગણે કદાપિ ન થયા હોય તે ત્રિવેણી સંગમ ઉજવ્યો. બહેને મંજુલા તપગચ્છના, દીક્ષા આપનાર આ. શ્રી જિનરદ્ધિમુરિ ખરતરગચ્છના અને દીક્ષાગુર બાલબ્રહ્મચારી સુનાનશ્રીજી અચલબરછના. મુંબઈને આંગણે આ બનાવ પહેલવહેલો જ હતો. બહેન મંજુલાના માનાર્થે કચ્છી ભાઈઓએ એક મેળાવડો કરી બહેન મંજુલાને અભિનંદન આપેલ. કોટના જૈન સંઘ તરફથી તેમજ મહિલા સમાજ તરફથી પણ બહેન મંજુલાની પવિત્ર ભાવનાને અનુલક્ષીને માનવંત મેળાવડાઓ કરવામાં આવ્યા હતા. પ્રભંજનાશ્રી પોતાના સાધ્વીજીવનમાં જીવનેક સાધી સ્વપર આભાને કલ્યાણકારક થાય એ જ મહેરછા. -મંગળદામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy