________________
-
સ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
६४
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રારંભીને પિતાને વિશેષ સમય ધર્મકાર્યમાં વ્યતીત કરવા લાગી, સ્વાથસિદ્ધિ કાને સુખદાયક થતી નથી?
અમુક દિવસે થવા બાદ ચંદ્રલેખાને ગર્ભવૃદ્ધિના શુભ ચિહ્નો દેખાવા લાગ્યા. સુંદરીએ પ્રસંગે પ્રસંગે ધર્મોપદેશ શરૂ કર્યો અને તેનું મન ધર્મમાં જ લયલીન રાખવું શરૂ કર્યું. સુંદરીના હિતોપદેશના કારણે ચંદ્રલેખાએ અમારી પળાવી, સત્પાત્રે દાન આપ્યું અને જિનમંદિરોમાં આંગીરચનાદિ ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા.
શુભ દિવસે ચંદ્રલેખા રાણીએ પુત્રીરત્નને જન્મ આપે. માતાપિતા તથા પૌરજને અતીવ પ્રમેદ પામ્યા. વધામણી તરીકે રાજાએ પુષ્કળ દાન આપ્યું અને બંદીવાનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા. જિનમંદિરમાં મહત્સવ શરૂ કર્યો અને રક-દીનદુઃખી-દરિદ્રીઓને ભેજન આપ્યું. એક માસ વ્યતીત થયા બાદ સુંદરીએ તે પુત્રીનું સુદર્શના એવું સાર્થક નામ પાડયું. ખરેખર સૌ કેઈને વારંવાર જોવું ગમે તેવું સુદર્શનાનું મુખકમળ હતું. લાવણ્ય અને કાંતિથી પરિપૂર્ણ સુદર્શન ચંદ્રકલાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. રાણીને વાંછિત પુત્રીની પ્રાપ્તિ થવાથી તેના આનંદ-સાગરની પણ મજા નહોતી. તે પુત્રીને એક ક્ષણ પણ ઉલ્લંગમાંથી અળગી કરતી નહિ. આ પ્રમાણે લાલનપાલન કરાતી સુદર્શના પાંચ વર્ષની થઈ એટલે તેને સુગ્ય અભ્યાસ માટે ઉપાધ્યાયને સુપ્રત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com