SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ૪૪ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર મુનિસુવ્રતસ્વામી નામના વશમાં તીર્થકર તરીકે તેને જીવ ઉત્પન્ન થયે. કેવળજ્ઞાન-પ્રાપ્તિ બાદ શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્ય જીને પ્રતિબેધવા લાગ્યા. એકદા તેમને પિતાના પૂર્વભવના મિત્ર( સાગરદત્ત ) સંબંધી વિચાર ર્યો અને દર્પણમાં જોતાં જ જેમ પ્રતિબિંબ દશ્યમાન થાય તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીન કેવળજ્ઞાનરૂપી નિર્મળ આરીસામાં સાગરદત્તને જીવ જિતશત્રુ રાજાના પટ્ટઅશ્વ તરીકે નજરે ચડ્યો. વિશેષ વિચારતાં તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. જિન ધર્મના ભવમાં અપૂર્ણ રહી ગયેલ મિત્રભાવના પર્ણ કરવા તેઓ કટિબદ્ધ થયા. તીર્થંકર પરમાત્મા જગતભરના જીના નિષ્કારણ બંધુ છે, તેઓનો વ્યવસાય જ લકે પર ઉપકાર કરી તેઓને સન્માર્ગે ચઢાવવાને હોય છે તે તેઓ પિતાના પૂર્વ ભવના મિત્રના ઉદ્ધાર માટે આકર્ષાય તેમાં આશ્ચર્ય જ શું? એક જ રાત્રિમાં સાઠ જન જેટલે દીર્ઘ વિહાર કરી તેઓ ભરુચ નગરે આવી પહોંચ્યા. દેવેએ તે સ્થળે ભવ્ય સમવસરણની અપૂર્વ રચના કરી. જિતશત્રુ રાજાને શ્રી મુનિસુવ્રતસ્વામીના આગમનના સમાચાર મળતાં તે પણ પિતાના પટ્ટઅશ્વ પર આરૂઢ થઈ, સમગ્ર રાજસાહાબી અને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યા. સમગ્ર પૂરજને પણ પરમાત્માની દેશના નો લાભ લેવા આવી પહોંચ્યા. પરમાત્માનું સમવસરણ એટલે જાતિવેર કે કલેશ નગરવી. જિતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy