SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વાવબોધતીથની ઉત્પત્તિ એકદા શિશિર ઋતુ આવી પહોંચતા શિવાયતનના પૂજારીએએ પજનેત્સવ આરંભે અને તે નિમિત્તે સાગરદત્ત શ્રેષ્ઠીને આમંત્રણ આપ્યું. સાગરદત્ત જિન ધર્મના તોથી વાસિત થયે હતે તેને જૈન ધર્મ પ્રત્યે ગુણાનુરાગ હતે છતાં પણ તે પિતાને કુળધમ–શિવમાર્ગ ત્યજી શક ન હતે. નિયત સમયે તે શિવમંદિરમાં ગયો. પજારીઓએ પૂજા માટે ઘણા વખતથી એકત્ર કરેલ ઘીના કુંભ (ઘડાઓ) વેદિકા પાસે લાવવા શરૂ કર્યો. પણ આ શું ? ઘણા દિવસથી એક જ સ્થળે પડી રહેલા ઘીના ઘડાઓની આસપાસ તેમજ નીચે ઘીમેલના ઝુંડના ઝુંડ જામી ગયા હતા. નિર્દય પૂજારીએ તે ઘીમેલને દૂર કરવા ક્રૂર રીતે તેને મસળી મસળીને મારી નાખવા લાગ્યા. અહિંસાપ્રેમી બનેલ સાગરદત્તથી આ સહન ન થયું, તેણે પૂજારીઓ પાસે જઈ સખ્ત શબ્દમાં ઠપકે આપે અને એક પણ જીવની હિંસા ન થાય તેવી રીતે શાંતિપૂર્વક જયણાથી કાર્ય કરવા સૂચન કર્યું. પૂજારીઓ સાગરદન પર વધતી જતી જૈન ધર્મની છાપથી અંતરમાં બની રહ્યા હતા. તેઓને તેને જૈનધર્મ પરત્વેને અનુરાગ શલ્યની પેઠે ખટો હતે. તેઓ તેને પુનઃ શિવમાર્ગમાં સંપૂર્ણ રીતે ખેંચી લાવવા માગતા હતા પણ તે ક્યારે શક્ય બને? પ્રેમથી કે તિરસ્કારથી? સૌજન્યરી સમજાવટથી કે આકેશભર્યા વચનોથી? પ્રેમપૂર્વક કહેવાને બદલે તેમણે સ્વભાવસુલભ તિરસ્કારને રાષભર્યો માર્ગ ગ્રહણ કર્યો. સાગરદત્ત પોતે જ આ મંદિરનું નિર્માતા છે એ વિચારો તેમજ સારાસારા યા હિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy