SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વારંવારનું ઘર્ષણ શું નથી કરતું? કદરૂપા આકારના મેટા પત્થરને પણ નદીને જળપ્રવાહ ઘાટીલ અને નાજુક બનાવી દે છે. જિન ધર્મના પ્રતિદિનને પરિચય અને ચર્ચાથી તેમજ સગુરુઓના સમાગમથી સાગરદત્તના જીવનમાં અદભુત પલટ થયે. તેને અહિંસાના ઉત્કૃષ્ટ મર્મનું ભાન થયું અને સાથોસાથ જૈન મુનિઓની નિસ્પૃહતા, તપસ્વીતા, વૈરાગ્યમયતા અને કડક આચારપાલન આદિ જોઇ તેને પિતાના શિવપૂજારીઓ અને જૈન મુનિઓ વચ્ચે આકાશ-પાતાલ જેટલું અંતર જણાવા લાગ્યું. આમ્રરસ કેને પ્રિય ન બને ? એક વખત જિન ધર્મ શ્રેણી સાથે ધર્મદેશના શ્રવણાર્થે જતાં ગૃહસ્થચિત દાનાદિ ધર્મના ઉપદેશ બાદ સાગરદત્ત જિનબિંબ અને જિનચત્યના અગણિત ફળપ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યો. મુનિપ્રવરે જણાવ્યું કે- 'કા હારિકા નગર’ જે પ્રાણ રાગ દ્વેષ અને મેહાદિ ઉત્કટ શત્રુએને જીતનાર તીર્થંકર પરમાત્માનું જિનચૈત્ય બંધાવે છે તે પ્રાણી પરભવમાં સહેલાઈથી ધર્મ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે. ઈત્યાદિ. આ રમ્ય ઉપદેશ સાગરદત્તના કુમળા હૃદયમાં આરપાર ઊતરી ગયે. તેના હૃદયમાં પોતાની સંપત્તિને જિનાયતન બનાવીને સાર્થક કરવાની ભાવના જ્યુરી, તેણે પિતાને મનેભાવ જિનધમને જણાવ્યો. મિત્ર જિનમેં તેના પવિત્ર વિચારને પૂર્ણ અમેદન આપ્યું. પછી તેણે જિનચૈત્ય બંધાવ્યું અને એક સુવર્ણમય જિનબિંબ તૈયાર કરાવી તેની સુસાધુદ્વારા પ્રતિષ્ઠા પણ કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy