________________
પ્રકરણ ચોથું
હરિવંશની ઉત્પત્તિ
પરસ્પરના નેહને કારણે તેમજ છેવટની શુભ લેશ્યાને કારણે વિદ્યુત્પાતથી મૃત્યુ પામેલા સુમુખ રાજવી અને વનમાળા હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા તરીકે ઉત્પન્ન થયા, કે જ્યાં નિરંતર બીજા આરાના પ્રારંભના ભાવ વતે છે. ત્યાંના યુગલિકનું બે પલ્યોપમનું આયુ ને બે ગાઉનું શરીર હોય છે. માતપિતાએ તેમનાં હરિ અને હરિણી એવા નામ પાડ્યા. યુગલિક ધર્મનું પાલન કરતા અને દશ પ્રકારના કલ્પવૃક્ષેદ્વારા મનવાંછિત પ્રાપ્ત કરતાં તેઓ બંને દેવની માફક દિવ્ય સુખ જોગવતાં ભેગવિલાસમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
આ બાજુ વિદ્યુત્પાતથી વનમાળ તથા સુમુખ રાજાનું મૃત્યુ નીહાળી વીરકુવીંદને હવે કેઈને માટે પરિભ્રમણ કરવાનું રહ્યું નહિ. સંસારમાં તેને રસ રહ્યો ન હતે. છેવટે તેણે જંગલમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા આદરી અને યોગ્ય સમયે આયુ પૂર્ણ કરી તે સૌધર્મદેવલેકમાં કટિબષિયાદેવપણે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com