________________
પ્રકરણ નવમું
સુદર્શનાની સ્વગ પ્રાપ્તિ ગત પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ધર્મનું સ્વરૂપ અને જિનચૈત્યનિર્માપણનું ઉત્કૃષ્ટ ફળ વિચારી-સમજી સુદર્શનાએ પિતાની હદયભાવનાનુસાર સારા શિલ્પીઓદ્વારા “શકુનિકાવિહાર” બંધાવ્યો. આ જિનાલય પૂર્ણ થયા બાદ તે નિરંતર ભાવપૂર્વક પ્રભુપૂજા કરવા લાગી. ત્રિકાળ સ્નાન કરી તે પિતાને વિશેષ સમય આ વિહારમાં જ વ્યતીત કરતી. જિનમૂર્તિની સૌમ્ય અને શાંત મુખમુદ્રા પ્રત્યે તેને અત્યંત ગુણાનુરાગ પ્રગટતે અને તેની ભાવના ભાવવામાં તથા અવલોકનમાં કલાકોના કલાકે પસાર થઈ જવા છતાં તે અતૃપ્ત જ રહેતી હોય તેમ જણાતું. ખરેખર અમૃતપાનથી કે તૃપ્તિ પામ્યું છે?
ધીમે ધીમે ગુરુસંસર્ગ અને ઉપદેશશ્રવણથી તે સંસારભ્રમણના મૂળભૂત ક્રોધ, માન, માયા અને લોભ ઈત્યાદિનું સ્વરૂપ સમજી. જિનબિંબની પૂજા આવશ્યક છે તે સમજવા સાથે તેને એ પણ સમજવામાં આવ્યું કે તપશ્ચર્યા અને ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com