SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬ ) કરવાનું કામ મેજ ઉપર આવ્યું. અમદાવાદના મુખ્ય કાર્ય કર્તાઆને વિચાર યાત્રાળુ દીઠ અમુક રકમ આપવાનું ઠરાવી દેવાને હતા, કારણ કે એકદર રકમ આપવાનું ઠરાવતાં દરવર્ષે બહુ મેાટી રકમ આપવી પડે અને તેના બેો શેઠ આણંદજી કલ્યાણુજીના કારખાના ઉપર આવી પડે. કેટલાએક સુજ્ઞ શ્રાવકા આ વિચારને સંમત નહેાતા. તેઓનુ ધારવું એવું હતુ કે 66 યાત્રાછુદીઠ અમુક રમ મુંડકા તરીકે આપવાનું ઠરાવવાથી અનેક પ્રકારની અડચણા ઉભી થશે, ખરી અગત્યની વખતે દરબાર કાઈ યાત્રાળુને રોકવા ધારશે તા રોકી શકશે, ચાત્રા કરવા જવાના પાસ કે ટીકીટ લેવાની અને સાચવવાની બહુ ચીવટ રાખવી પડશે, એ કાર્ય માં ખલેલ ન થવા દેવા માટે અને પાકી દેખરેખ રાખવા માટે દરબાર સીપાઈઓનુ મેાટુ' જીથ ડુંગર ઉપર રાખશે કે જે આપણને કાયમની ઉપાધિરૂપ થઇ પડશે. આવી અનેક અડચણ્ણાના સંભવ હાવાથી કાઇ મેાભા વાળા ગ્રહસ્થને અથવા પ્રમાણિક અમલદારને વચમાં રાખીને વાર્ષિક રકમ આપવાનું ઠરાવવું તે જ યાગ્ય છે. આ રકમ કારખાનાને માથે ન પડવા માટે એક મેટા પાયા ઉપર કુંડ કરવુ કે જેના વ્યાજમાંથી તે રકમ આપી શકાય. આ પ્રમાણેના વિચારને મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી પણ સમ્મત થયા હતા, તેથી એ વાત અમદાવાદના મુખ્ય વહીવટ કરનારા પ્રતિનિધિઓને ગળે ઉતારવા માટે અમદાવાદ જવા ભાવનગરના સંઘના આગેવાનાને મહારાજશ્રીએ પ્રેરણા કરી, જેથી સંવત ૧૯૪૦ ના માગશર માસમાં ભાવનગરથી દશ ગૃહસ્થા અમદાવાદ ગયા અને પૂર્વોકત વિચાર ત્યાંના ગૃહસ્થાના લક્ષમાં ઉતાર્યો. આ સમજીતીને પરિણામે પાલીતાણા દરબારને દરવરસે રૂા. ૧૫૦૦૦) આપવાનું સંવત ૧૯૪૨ માં પેાલીટીકલ એજટ સી. વાટસન "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy