SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ) ડર ખાતા હતા. હવે તેા તેઓ સંપૂર્ણ સત્તાધીશ થયા. મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી સમાનસ્થિતિના ગુરૂભાઇ હતા, પરંતુ જેવી રીતે ગુરૂમહારાજની આજ્ઞાનું વહન કરતા હતા તે જ પ્રમાણે ગણિજીની આજ્ઞાનું પણ વહન કરવા લાગ્યા. સંવત ૧૯૩૮ ના જેઠ માસમાં વળાથી વિહાર કરી ભાવનગર પધાર્યા. શ્રી સંઘે ઘણા હર્ષથી સામૈયું અને પ્રવેશમહેાત્સવ કર્યો. આ વખત ભાવનગરના સંધમાં અંદર અંદર કાંઈક મનની જુદાઈ ચાલતી હતી તે મહારાજશ્રીના પધારવાથી એકતા થઇ ગઈ. એએનુ એવું પ્રભાવકપણૢં કે એમની ષ્ટિ પડવાથી સર્વેના મન શાંત થઇ જતા. કાઇ પણ વખતે કાઇને દુ:ખ ઉત્પન્ન થાય એવું વચન એએ કહેતા નહીં અને કહેવાની જરૂર પણ પડતી નહીં. વગર કહે જેને કહેવા ચાગ્ય હાય તેને પાસે લાવવા માત્રથી તેના હૃદયમાં શાંતિ થઇ જતી. ભાવનગર શહેરમાં મુખ્ય દેરાસરમાં ડાબી બાજુ ઉપર એક નવું દેરાસર અધાવવામાં આવેલુ હતુ. તેની પ્રતિષ્ઠા પાંચ-સાત વર્ષોથી અટકેલી હતી તે કરવાને મહારાજશ્રી પધાર્યા પછી તરત જ નિ ય થયા અને સંવત ૧૯૩૮ ના શ્રાવણ વદ ૩ ને દિવસે શુભ મુહૂર્તે શ્રી પાર્શ્વનાથજીની મૂળનાયકજી તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસ ંગે દેરાસરજીમાં પણ સારી ઉપજ થઈ. મહારાજશ્રીના ઉપદેશથી સંવત ૧૯૩૦ ના વર્ષમાં જૈનશાળા સ્થાપવામાં આવી હતી તેમાં અભ્યાસ કરીને કાંઈક વૃદ્ધિને પામેલા ઉછરતી વયતા જૈન ખાળકોએ “ શ્રી જૈન ધર્મ પ્રસારક ” નામની એક સભાનું સંવત ૧૯૩૭ ના શ્રાવણુ શુક્ર ૩ જે સ્થાપન કરેલું હતું. તે સભાની ઉપર મહારાજશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy