SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) મહાવ્રતના પાલનમાં જેમ મંદ થયા હતા તેમ જ્ઞાનમાં પણ મંદ થઈ ગયા હતા. વૈદક અને મંત્રતંત્રથી ભેળા લોકોને પોતાનાઉપર રાગી કરવાને ધંધે લઈ બેઠા હતા. શ્રાવકની અણસમજને લીધે તેઓ પોતાના આ અગ્ય વર્તનમાં વધતા ગયા અને તેથી સડે પણ વધતા ગયા. મહાવ્રતની બાબતમાં તેઓના મનની દઢતા ન હોવાથી શિથિલ હતા, પણ જે જ્ઞાનમાં પ્રીતિવાળા રહી તે ઉદ્યમ શરૂ રાખ્યા હોત તો જેનના પંડિત તરીકે પણ તેઓ કાંઈ લાભક્તો થઈ પડત, પરંતુ તેના ઉપરીએાએ તેવો કાંઈ પણ વિચાર કરી ઉપાય જ્યા નહીં તેથી હાલ દેખાતી કનિષ્ટ સ્થિતિને વખત આવ્યે. પાલીતાણામાં ભાવનગરના શ્રાવક બહેચરદાસ વિગેરે મળેલા. તેમને મહારાજજીના ગુણની કાંઈક પરીક્ષા પડેલી તેથી તેમણે ભાવનગરમાં આવીને એ નવિન પંજાબી મુનિઓની પ્રશંસા કરી હતી. એવામાં તેમને ભાવનગર આવ્યા જાણીને આગ્રહપૂર્વક શેઠને ડેલે રહેવા માટે તેડી ગયા. મુનિ પ્રેમચંદજી વ્યાખ્યાન વાંચતા હતા તેથી લોકો ખુશી થતા હતા, પરંતુ મુનિ વૃદ્ધિચંદ્રજીએ તો સામાન્ય ઉપદેશથી અને સાધારણ વાતચીતથી શ્રાવકવર્ગના દિલનું આકર્ષણ કર્યું હતું. આ પ્રમાણે સુધરતી સ્થિતિ દેખીને મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરૂમહારાજને રોશન કર્યું કે “આ ક્ષેત્ર ચાતુર્માસ કરવા ગ્ય છે.” મહારાજશ્રી ભાવનગર પધાર્યા. શ્રાવકવળે સારે સત્કાર કર્યો અને આ પંજાબી મુનિઓના આચાર-વિચાર-ક્રિયા તથા શુદ્ધ પ્રરૂપણ વિગેરે દેખીને શ્રાવકેના દિલ રંજિત થયા. યતિઓ ઉપર રાગ કંઇક મંદ થયે અને તેનામાં તથા મુનિઓમાં રહેલો અપાર અંતર સમજાવા લાગ્યું. મુનિરાજશ્રી બુટેરાયજીએ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy