SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) તે વેવિશાળ ગુઢ્યું. ત્યારપછી બીજે વેવિશાળ થવાની તૈયારી થતી હતી તેવામાં તો તે વાત મુલતવી રાખવામાં આવી. “જ્યારે ભેગાવળી કમ ઓછું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ કારણે પણ સાનુકૂળ જ મળી આવે છે.” આ વખત પંજાબ દેશમાં ઘણે ભાગે ઢંઢીઆ પંથનો પ્રચાર થઈ ગયો હતો. કોઈ કોઈ શહેરમાં જિનાલય હતા ખરા પરંતુ શ્રાવકવર્ગ ઢંઢકમતિ સાધુઓ ( રિ)ના વિશેષ સંસર્ગથી મૂર્તિપૂજા છેડી દઈને ઢંઢકપથી થઈ ગયેલ હેવાથી તપગચ્છી-મૂર્તિપૂજા કરનારાઓની સંખ્યા બહુ સ્વલ્પ જણાતી હતી. કૃપારામના પિતાએ પણ એ જ માર્ગ સ્વીકારેલો હોવાથી કૃપારામ પણ કેટલીએક ક્રિયાઓ ઢંઢકમતની જ કરતા હતા. એ તરફમાં ઢંઢક રિખમાં અમરસિંહ નામના રિખ તે વખતમાં મુખ્ય ગણાતા હતા. તે વખતના સેંકાના યતિઓ ચિન્નેલી જિનપ્રતિમા પિતાની પાસે રાખતા હતા, પરંતુ અમરસિંહ ઢંઢકે એ બાબતને પણ નિષેધ કર્યો. “ઘણું તે થોડા માટે જ થાય છે. તે પ્રમાણે જ્યારે તેણે એટલું થોડું દ્વાર પણ બંધ કરવા ધાર્યું ત્યારે માટે દરવાજો ઉઘો , જે દ્વારવડે ઢંઢકમતિના પાશમાં પડેલાઓ બહાર નીકળી શક્યા અને બીજાઓને તે દ્વારા શુદ્ધ માર્ગ જેવાને પ્રકાશ મળી શકયો. બુટેરાવ નામના એક ઢંઢકમતિ રિખ હતા, જેઓ બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્યાદિ અનેક ગુણયુક્ત હોવા છતાં સદ્દગુરૂની જોગજઈ ન હોવાથી તેમજ આખા પંજાબદેશમાં તપગચ્છી મુનિએને વિહાર તે વખતમાં બીલકુલ ન હોવાથી તેઓ સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy