SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા ધર્મશીલતાને પ્રભાવ આ રીતે કપિલ બ્રાહ્મણના ભકિતવાસિત ભદ્રિક હૃદયમાં કઈગુણે વધી ગયે. કપિલના કુટુંબમાં આ હકીકત ત્યારથી ચિરસ્મરણીય બની ગઈ. એનાં બાળકનાં ઉઘડતાં ભાવિ માટે ત્યારથી કપિલને ખૂબ જ આશા-અભિલાષા પ્રગટી. કલધ્ય અને પવિત્ર જળથી પીડામુક્ત થયેલા કપિલને આ બાળક ત્યારથી કચ્ચક-કલ્પક નામથી પ્રસિદ્ધ થયે. બાળક કલ્પકની ભાગ્યરેખા હવે પલટાવા લાગી. ધીરે ધીરે એ રહમજણે થયે, અને વયે વિદ્યા, વિજ્ઞાન તેમજ વિદ્વત્તામાં એણે કુશળતા પ્રાપ્ત કરી. તે પોતાના પિતા કપિલના માનનીય સ્થાને આવે. સારાયે પાટલીપુત્ર શહેરમાં કલપકની પ્રતિષ્ઠા સારી જેવી વ્યાપક બનતી ગઈ. કલ્પકની નમ્રતા, ધર્મશ્રદ્ધા અને સંતોષવૃત્તિ એને એકાત જીવન તરફ દોરી જતી, જ્યારે લોકપ્રતિષ્ઠા, વિદ્વત્તા અને કુશલતા કલપકને બલાત્ નંદનાં રાજ્યમાં ઊંચા અધિકારો પ્રત્યે ખેંચી જતી. કેટલાયે વર્ષો સુધી ક૯૫કના જીવનમાં આ પ્રકારનાં બને વિજાતીય ઘર્ષણ ચાલુ જ રહ્યા, ૩ સુશ્રાવક કે૫કના આંગણે, કુલીન ઘરની કળા, લાવણ્ય અને રૂપથી રતિ જેવી કન્યાઓના તેના વડિલો તરફથી પાણિગ્રહણ માટે કહેણે આવતા. પણ અલ્પપરિગ્રહી અને સદાચારી ક૫કનું મન, સંસારની જંજાળમાં પડવાને તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy