SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય-પરિચ્છેદ. ન કરવા સમજુતિ આપ્યા કરતા હતા. ડૉકટરને પોતાના પુત્રની પદ્મી ખાતરી હતી કે, મારા કહ્યાગરા દીકરા મારા કહ્યા મુજબ તમાકુની તરફ ધિ:ષ્કારની નજરથી જુવે છે. એક દિવસ ડોકટર પેાતાના એક મિત્રને ખાનગીમાં કહેવા લાગ્યું કે–પ્રિય દોસ્ત ! મારાથી તમાકુ પીવાથી થતા દોષા પૂર્ણ પણે સમજાયા છે, હું બીક્તઓને તેનાથી દૂર રહેવા ખાસ ભલામણ કરૂં છું અને હું પાતે તેનાથી દૂર રહેવા ઘણું જ ચાહું છું; પરંતુ તે મારાથી દુર્વ્યસન છૂટી શકતુ નથી. તેને કાઈ ખાય છે, કાઇ પીએ છે ને કાઈ સુ ધે છે. જો કે ખાનાર તુરત થુંકવા લાગે છે, પીનાર તુરત કુકવા લાગે છે અને સુઘનાર તુરત નાક છીકવા લાગે છે તેથી સ્પષ્ટ સમજાય છે કે તમાકુને આત્મા જ પસંદ કરતા નથી, છતાં પણ તમાકુએ પાતાની સજ્ઞા સેંકડે પંચાણુ ટકા જેટલા જનાપર ફેલાવી મૂકી છે. તમાકુ નથી વ્રતમાં રોકાતી કે નથી તીર્થયાત્રામાં છે।ડાતી. પહેલાં હુવા સુધારવાની હવન સામગ્રીની થેલી સાથે રહેતી હતી, પણ આજ તેની અવેજીમાં તમાકુની શૈલી સાથે રહે છે અને ફકત ખાનપાનાદિમાં જ ધર્મ માને છે. તમાકુ પીનારા કાળી ભીલ તકની એડી સારીી અડેલી ચલમ પણ પીએ છે, તેમાં એકખીજાનું શું અને શ્વાસની હવા લાગેલ રહે છે, છતાં તે પીવાથી ધની ચિંતા રહેતી નથી. તમાકુ પીવાથી હાથની હથેળી અને હોઠ કાળા પડે છે. તેવુ જ કાળજી પણ કાળુ થાય છે, અને તેને મેલ આંતરડાંમાં જામી જાય છે. તમાકુ પીનારનુ ઘર, સુધનારનાં કપડાં અને ખાનારની બેઠક ગઢકીથી છાઈ રહે છે. હાકા પીનારનુ ઘર કાલસાછાણાં દેવતા૨ખ્યા વગેરેની ઢગલીએથી ગંદું જણાય છે. તમાકુ પીનાર, ખાનાર મેસ્મેરીઝમ વગેરેના પ્રયાગમાં કામ આવતા નથી અને તેનુ મ્હોં દુર્ગંધ માર્યો કરે છે, તથા સારા મનુષ્યેાની મ`ડળીમાં ખુલ્લે મ્હોંએ ખેલવા પણુ પામતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy