SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 2 મંથના વિસ્તારની અત્યંત આવશ્યક્તા છે. પવિત્ર, સુશીલ, આરોગ્યયુક્ત, ઉચ્ચ મનભાવવાળી માતાઓના ચારિત્ર્યની બાળકે ઉપર જે અસર થાય છે અને બાળકના આખા જીવન પર્યત તેને જે પ્રભાવ જામેલું રહે છે, તે વરસના વરસો સુધીના નામાંકિત પ્રેફેસરોના શીક્ષણથી પણ મળી શકતો નથી. માતાને પોતાના શિક્ષુઓ ઉપર પ્રભાવ સહજ સ્વાભાવિક આંતરિક પ્રેમમાંથી ઉદ્દભવેલો અને કાંઈ પણ કૃત્રિમ પ્રયાસથી રહિત હોય છે, ત્યારે શીક્ષકેના શીક્ષણને પ્રભાવ બાળકના તેમજ મેટી વયના મનુષ્યો ઉપર બનાવટી બહારથી નાંખવામાં આવતા સંસ્કાર રૂપે કેટલાક પ્રસંગે બળાત્કાર પૂર્વક નાંખેલે અને અસ્વભાવિક હોય છે. નિશાળે, પાઠશાળાઓ કેલેજો, વગેરેમાં એકલું બુધ્વિગત શિક્ષણ મળે છે, અને દુર્ભાગ્યે આ જમાનામાં તે સંસ્થાઓમાંથી ચારિત્રના અનુશિલનનું તત્વ છેક જ લેપ પામી ગયેલું જોવામાં આવે છે, આથી તે સંસ્થાઓના સબંધી બહુ તો એટલું જ કહી શરાય કે તે ફકત મનુષ્યને કમાવાની અથવા જીવવા માટે આવશ્યક પદાર્થો ઉપાડવાની તાલીમ આપીને જ પિતાનું કર્તવ્ય પૂર્ણ થયું માને છે. આવા સંગે માં બાળકે શીશુવયથી જ માતાના ચારિત્ર્યની ઉત્તમ અસરથી જે બેનસીબ રહે તે તેઓ મોટી વયે સ્વાર્થી, એકલપેટા, પિતાનું જ ઉદર ભરવાની વૃત્તિવાળા સંકુચિત હૃદયના અને પિતાની શકિતને અસદ્દવ્યય કરનાર નીવડે તેમાં નવાઈ જેવું કશું નથી. જે કાળે જાહેર શાળાઓમાંથી ચારિત્ર્ય અને હૃદયરસની કેળવણીનું તત્વ નીકળી ગયું છે, તે કાળે બાળકના હૃદયના ગુણોના વિકાસ અથે માતાના સહદયજીવનમાંથી પ્રગટતા પ્રભાવની ખાસ વિશેષ આવશ્યકતા છે, એમ માનવું છેટું નથી. - બાળકને કેમ ઉછેરવાં એટલું જ કહેવાને અમે આ પુસ્તકનો ઉદ્દેશ રાખ્યો નથી. કેમકે એટલું જ જાણવું એ સ્ત્રીવર્ગ માટે પુરતું નથી. એ એના અખિલ જીવનની એક શાખા માત્ર છે. બાળકો ઉપર માતાઓને જે પ્રભાવ પડે છે, તે માતાને સમસ્ત જીવનના વિકાસમાંથી પ્રકટતા પરિમલ રૂપે હોય છે. તે પ્રભાવ બાળકના મન ઉપર બાળકને કે માતાને ખબર પણ ન પડી શકે તેવો હોય છે. પુષ્પ જેમ પિતાની સુગંધ વગર પ્રયને રવાભાવિકપણે વિસ્તાર્યો જાય છે, તેમ માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy