SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ-પરિચ્છેદ. અને ચિત્તોડના મહારાણા લક્ષ્મણસિંહના કાકા ભીમસિંહની રાણી (પીની) હતી. અલ્લાઉદ્દીને તેણના રૂપપર મોહિત થઈ સંવત ૧૨૭૨ માં ચિત્તેડને ઘેર્યું. લડાઈમાં ફત્તેહની આશા ન જણાતાં અભિલાષાને પૂર્ણ કરવા બાદશાહે ભીમસિંહને કહેવરાવ્યું કે જે મને તમારી રાણી પદ્માવતીનાં દર્શન કરાવે તે તેણીને જોઈ પાછો ચાલ્યા જાઉં.”ભીમસિંહ વગેરેએ સાક્ષાત નહીં પણ આરસી મારફત પદ્માવતીનું દર્શન કરાવવાની હિકમત ચલાવી પણ તેમ થયા પછી તેણે છળ કરી ભીમસિંહને કેદ કરી લીધે ને પણને આપવા પછીજ મુક્ત કરીશ એ મુકરર વિચાર જણાવ્યું. આથી પદ્યાવતીએ પિતાના સંબંધીઓની સલાહ મેળવી, બાદશાહને કહેવરાવ્યું કે“મારા પતિને કેદ કરવા જેટલે શ્રમ શા માટે લેવું પડશે. હું પિતે જ મારી સખી સાહેલીઓ સાથ આપને મળવા તૈયાર છું. માત્ર સાત મિયાના એકલાવી દે, અને રેકટેક વગર આપની હજૂર આવવા દેઅને અરધેકલાક રાણાથી વાત કરવા દે. બસ પછી આપની મનકામના પૂરી થશે.” ઈત્યાદિ ખબરથી બાદશાહ પ્રસન્ન થયે તેજ પ્રમાણે મિયાના મોકલ્યા, રેકટેક વગર અંદર આવવા દીધા. કામી અંધ હોય છે, ગર જવાનને અક્કલ હોતી નથી. એથી એ બન્યું કે રાણાને પડ્યાવતી મળતાંજ કરી રાખેલી ગોઠવણ મુજબ બન્ને મિયાનામાં બેસી થોડા મિયાનાઓ સાથે સહીસલામત ચિત્તોડગઢમાં જઈ પહોંચ્યાં. બાકી રહેલા મિયાનાઓમાં તે સાહેલીઓને બદલે શૂરા શિશેદિયાહતા. તથા મિયાના ઉચકનાર જોઈને બદલે પણ શૂરા શિશદીયાજ શસ્ત્રબદ્ધ હતા તે મરણીયા થઈ તૂટી પડ્યા અને નામના મેળવી. પદ્માવતીએ કેવી યુક્તિ કરી પતિને છોડાવ્યા અને પિતાનું શીળસંરક્ષણ કર્યું ! કહે એ શું અને ભણ-બહીકણ સીઓથી બને તેવું કામ હતું? યુદ્ધકળાનાં પુસ્તક વાંચ્યા વિચાર્યો અનુભવ્યા વગર એવી રચના થઈ શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy