SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૨૮ મહાવીર કહેતા હતા અને હેના શિષ્ય બની જાય છે. પછી તે સમાજભક્ષક પોતાના ગંદા સ્વાર્થને પોષે એવા “કાનૂન ના નામથી મનમાનતી જાળ બીછાવી “માછલાં પકડે છે! દેના વલ્લભ! મહાવીરને લેકેત્તર ધર્મ એ સર્વથો ન્યારો છે! પિતાને જેઓ નથી ઓળખી શક્યા હેમને મહાવીર પિતાના શિષ્ય તરીકે કોઈ કાળે સ્વીકારતો નથી, પોતાનું સામર્થ્ય જેઓએ હરકોઈ રીતે નથી પીછાવ્યું, તેઓ મહાવીરના શિષ્ય થવાને “અધિકારી” જ નથી. હા, ચેના શિરદાર મહારા શિષ્ય બની શક્યા છે, વેશ્યાઓ મહારી શિષ્યા બની શકી છે, યુદ્ધમાં હજારેને સંહાર કરી આવેલા રાતા હાથવાળા ક્ષત્રિ મ્હારા શિષ્ય બન્યા છે. એ બધું ખરું, પણ તેઓ પોતાનું “સામર્થ” પીછાની શક્યા હતા એ સામર્થ્ય માટે શરમાતા નહતા અને “સામર્થ્ય ઓર વધારે પ્રકાશિત કરવા ચાહતા હતા, તેથી જ તેઓ હારા શિષ્ય બની શક્યા હતા. શક્તિને “ગુહે” રહમજનાર, “સાહસીને “મૂર્ખાઈ” હમજનાર, જમીનપર પેટે ચાલીને દિવસ પૂરા કરવામાં સભ્યતા અને “સદ્દગુણ માનનાર, ડુંગર-ગુફા-સમુદ્ર-આકાશ–સિંહથી ચમકનાર “સદ્દગુણીઓ’ મહારા શિષ્ય થઈ શકે નહિ. ગત્તમ ! તું ભ્રમણામાં પડ્યો જણાય છે. હમણાં તું “સદ્દગુણીઓની સત્તામાંથી છટકીને શત્રુંજય ગિરિરાજપર ચડવા લાગ્યો છે તેથી તેઓ હારા પર પોતાની સઘળી શક્તિથી જાળ ફેંકવા લાગ્યા હોય એમ હું જોઉં છું, પણ સંજયગિરિના ઓ પથિક ! શું આ ખુલ્લી આકાશી હવા હવે મજબૂત કરવાને બસ નથી? આ પહાડી દેખાવ હારા ભીતરને પાડી બનાવવા પૂરતું નથી શું? જહેને તું ગુરૂ માનવા તૈયાર થયો છે હેની ફલાગે અને નૃત્ય બેદરકાર ગાન અને ખડખડ હાસ્યઃ એ સર્વ હને લેકજાળથી છૂટવાનું સામર્થ આપવાને પુરતું • ભવ્ય અને પ્રચંડ, ઉંડી, અમર્યાદિત, ઉંચી તથા મસ્ત “ભાવનાઓ (Concepts) અને એવી નીતિએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034949
Book TitleMahavir Kaheta Hava
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1988
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy