SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આભિયોગીક (સેવક વર્ગ) દેવદેવીઓના ગણે, અને કિલિવષાદિક દેવતાઓના પરિવાર સહિત બીરાજેલા હતા. દક્ષિણ કાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર, શકનામા સિંહાસન ઉપર બેસી નૃત્ય, ગીત, અને ત્રણ પ્રકારના વાદવિનોદ વડે કાળ નિર્ગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને ઉપલી રીતે રહેલા જાણે તત્કાળ ઉભા થયા. પગમાંથી પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી જમણું જાનુને પૃથ્વી ઉપર સ્થાપના કરી અને ડાબા જાનુને જરા નમાવી ઈદ્ર પૃથ્વી ઉપર મસ્તક લગાડીને શકસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઈને જેના સર્વ અંગેમાં રોમાંચ કંચુક પ્રગટ થએલો છે એવા તે ઈદ્ર મહારાજે સર્વે સભાસદોને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું. “હે સૌધર્મ લેકવાસી સર્વ દે ! શ્રી વીર પ્રભુને અદભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ, માન, માયા અને લેભથી પરાભવ નહી પામેલા, આશ્રયરહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળને ભાવમાં કઈ પ્રકારે પણ બુદ્ધિને પ્રતિબંધ નહિ કરનાર, એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહા ધ્યાનમાં સ્થિત થએલા છે. તેમને એ ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દે, અશુ, યક્ષ, રાક્ષસે, ઉરગે. મનુ કે ત્રિલો પણ શકિતવાન નથી.” મનુષ્ય લેકમાં જેમ વિવિધ પ્રકારના સ્વભાવવાળા મનુ હોય છે, તેમ દેવકમાં પણ તેવાજ સ્વભાવવાળા દે હેાય છે. અલપ સત્વવાલા છે જ્યારે કોઈ મહાપુરૂષોના ગુણે, તેમનું બળ, અને પરાક્રમનું વર્ણન સાંભળે છે, ત્યારે તેમના મનમાં તેઓના ઉપર અશ્રદ્ધા અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. એકાદ કોઇ મહાસતીના ગુણનું વર્ણન સાંભળી લંપટ પુરૂને આશ્ચર્ય અને અશ્રદ્ધા થાય છે, એટલું જ નહિ પણ વખતે તે સતીને ચલાયમાન કરવાનું બીડું ઝડપી, તથા-પ્રકારના પ્રયાસ આદરી, તે મહા સતીઓને વિનાકારણ આપત્તિઓમાં સપડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy