SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ર૭ ભવ. ) સૂર્યનું દષ્ટાંત. નથી, એટલું જ નહી પણ કદી કઈ તેમના પ્રત્યક્ષ તેમની સ્તુતિ કરતા હોય, ત્યારે તે તેને પરિસહ રૂપ માની તે વખતે સમભાવમાં રહે છે, જ્યારે અજ્ઞાનીએ પિતાના અ૯૫ સુકૃત્યની અતિશયોકિત પૂર્વક પોતેજ આત્મ પ્રશંસા કરે છે, બીજાની પાસે કરાવવાની ઈચ્છા રાખે છે, અને પિતાની પ્રશંસા સાંભળી અથવા વાંચી તે મનમાં ઘણે પુલાઈ જાય છે. તે દિવસે દિવસે અહંકારી બનતે જઈ કુટુંબ અને સમાજમાં વિવિધ પ્રકારના કલહનાં બી રાપે છે. આ ઉપરથી અજ્ઞાની અને જ્ઞાની એ બેની વચ્ચે રહેલી તારતમ્યતાને સહજ ખ્યાલ આવશે. તેથી એ વિષે વિશેષ લંબાણ કરવ ની જરૂર જણાતી નથી. શાસ્ત્રમાં જ્ઞાનની જ વ્યાખ્યા કરવામાં આવેલી છે, અને તેનાજ અપેક્ષાથી ભેદ પાડવામાં આવેલા છે. હવે જ્ઞાનના સંબંધેજ આગમમાં શું જણાવેલું છે તેને જ વિચાર કરીએ. જ્ઞાનના અંગે વિસ્તાર પૂર્વક વિવેચન નંદિસુત્ર, આવશ્યકાદિક ગ્રંથમાં છે. સુક્ષમ બોધના અપેક્ષી જીજ્ઞાસુએ તે ગ્રંથોથી તે મેળવવા પ્રયતન કરવાની ભલામણ છે. અહીં તે પ્રસંગનુસાર સહજ વિચાર કરવામાં આવ્યું છે. આત્મા અનાજ્ઞાનવાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. તેને જ્ઞાનાવરણીય કર્મના આવરણ લાગેલાં છે. સૂર્યના પ્રચંડ તેજના આડા ચોમાસાના કાળમાં ગાઢ વાદળાં આવે છે, તે વખતે તેને પ્રકાશ અવરાઈ જાય છે. મૂળમાં તે સુર્યને પ્રકાશ કાયમ હોય છે, છતાં વાદળાંના આવરણના લીધે તેના કારણે પૃવિ ઉપર પ્રકાશ પાડી શકતાં નથી. તેજ વાદળાં જેમ જેમ કમતી થતાં જાય છે, તેમ તેમ અંધકાર ઓછો થઈ પ્રકાશ વધતું જાય છે. જ્યારે સંપૂર્ણ વાદળાં વિખરાઈ જાય છે, ત્યારે અંધકારને સદંતર નાશ થાય છે અને સંપુર્ણ પ્રકાશ પ્રગટ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy