SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉગ્ર તપસ્યા અને સાધના. ધર્મ ગુરૂઓની સાથે ચર્ચા કરી. હીંસામાંજ જે ધર્મોએ આત્માની શાંતી માની છે એ ધર્મના અનુયાયી સાથે વાદમાં મનનું નીરાકરણ ન થઈ શકવાથી તમામ ધર્મના પ્રવૃત્તકને સમ્રાટ અકબરે મહેલમાં પુર્યા. તેજ વખતમાં વિહાર કરતા લોકાગચ્છાધીપતી પુજ્ય લઘુવરસિંહજીનું આગમન દીલ્હીમાં થયું સમ્રાટને જાણ થઈ, અને આચાર્યદેવને બોલાવ્યા બીજા ધર્મગુરૂઓની જેમ આચાર્ય સાથે સમ્રાટે ચર્ચા કરી. સ્યાદ્વાદની જાળથી પૂજ્યશ્રીએ સમ્રાટની શંકાનું સમાધાન કર્યું. અને સમ્રાટે જૈન ધર્મના સિદ્ધાંતો માનપૂર્વક ગૃહણ કર્યા અને આચાર્યદેવની આજ્ઞાનુસાર ધર્મ અનુઆયીઓને મહેલમાંથી છેડી મુક્યા અને પૂજ્યશ્રીને મદદરૂપ એવા પરવાના સમ્રાટે લખી આપ્યા. અને સાથે હાથ નીચેના તમામ રાજા ઉપર પૂજ્યશ્રીને માન આપવા સંબંધમાં ફરમાન લખી મોકલ્યાં. એવા એક નહી પણ અનેક રાજ્ય યતીવર્યોને ગુરૂ તરીકે સ્વીકારતા. તેની સેવા શાસન અને સમાજથી અજાણ નથી. શાસનમાં તમામ આત્માઓ એકાંતે કબુલે છે કે અમે જે ધર્મમાં છીએ તે જેનધર્મને દિવિજય કટોકટીના પ્રસંગમાં જ્યારે ભારતના તમામ સંપ્રદાયમાં અને સમાજોમાં પણ મોટા વિદવાને હતા •° પ૭ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy