SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. ~~~~ ~~~~ ~ ~~~ એજ બંધ અને મોક્ષનું કારણ છે. વિકાસ એ દુર્લભ છે. અને પતન એ સુલભ છે. એક વાર પતન પામેલો આત્મા ઠેઠ નીચે પડે છે. આ મનુષ્યભવમાં તમને પ્રાપ્ત થએલા સાધને જેવા કે ધન, કુટુંબ, પુત્ર, ભાર્યા વગેરેનો મેહ આત્મામાં આસક્તિ ઉત્પન્ન કરે છે. આસક્તિ તે ભવની પરંપરા ચાલુ કરે છે માટે આસક્તિ ઘટાડવા ગમે તેવી કઠીનમાં કઠીન તપશ્ચર્યા કરીને પણ ભવભવથી વારસામાં મળેલા, અને જીવનના અણુએ અણુના સંસકારમાં જડાએલા, આસક્તિ અને અજ્ઞાન, તેને નીવારવા પુરુષાર્થ ચાલુ કરે. ભેગની રમતમાં આત્મા બંધાશે. ત્યાગની રમતથી આત્મા છુટશે. ભેગની લુબ્ધતાએજ આત્મા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયે છે. આત્માને સહજ સ્વભાવ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર, તેના ઉપર આવરણ આવ્યા છે. જેના પ્રતાપે આત્મવિકાસ અટક છે. ઘર ભુલેલા માનવીને દુનીયાના કેઈ પણ ઘરમાં કુટુંબી તરીકે જેમ આશ્રય મળતો નથી અને દુ:ખ અનુભવ કરે છે તેમ આત્મા પોતાના સ્થાનથી પતિત બની અન્યત્ર પરિભ્રમણ કરી રહ્યો છે. ત્યાં સુધી આત્માને ક્યાંય સુખ અને શાંતી મળશે નહી. માટે ભાઈઓ એવી પ્રવૃત્તિનો આદર કરો કે સ્થાનભ્રષ્ટ થએલા આત્માને પોતાનું સ્થાન પ્રાપ્ત :: ૬૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy