SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : જિનધિસૂરિ જીવન-પ્રભા કલેલ, પાનસર, ડાંગરવા જગુદણ થઈ મહેસાણું પધાર્યા. મહેસાણાની સુપ્રસિદ્ધ પાઠશાળનું કાર્ય જેઠ સંતોષ વ્યક્ત કર્યો. મહેસાણાથી ઊંઝા, સિદ્ધપુર થઈ પાલણપુર પધાર્યા. પાલણપુરમાં પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના વિદ્વાન, મરૂભૂમિમાં વિદ્યાધામના સર્જક આચાર્યશ્રી વિજય લલિતસૂરિશ્વરજીનું મિલન પણ મધુરૂં હતું. આચાર્યશ્રી વિજયલલિતસૂરીજીએ આપણા ચરિત્રનાયકનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. પિતાની પાસે જ આગ્રહપૂર્વક ઉતાર્યા. બન્નેએ ખૂબ આનંદપૂર્વક જ્ઞાનગોષ્ટિ કરી અને પંજાબ-મારવાડની શિક્ષણ સંસ્થાએની પ્રગતિનાં સમાચાર જાણ્યા. જૈન સમાજનું કલ્યાણ, જૈન સમાજના ઉત્કર્ષ અને જૈન સમાજનો ઉદ્યોત શિક્ષણ સંસ્થાઓ દ્વારા થવાને છે વગેરે વિચાર વિનિમય પ્રેમપૂર્વક કર્યો. ચૂર જવાની ઉતાવળ હેવાથી પાલણપુરથી વિહાર કરી ખરેડી આવી પહોંચ્યા. આબુના બેનમૂન કેરણીવાળાં કલામય મંદિરે જોઈને જૈન સમાજની દાનશૂરતા અને શ્રદ્ધાભકિત યાદ આવ્યાં. આબુથી અચલગઢ આવ્યાં અચલગઢમાં મંદિ ના દર્શન કરી ગીશ્વર શ્રી શાંતિસૂરિશ્વરજી પાસે ગયા. બનેનું મિલન આનંદપ્રદ, અપૂર્વ અને અલૌકિક હતું. રાજા મહારાજા-શેઠ શાહુકાર અને વિદેશી લોકો પણ જેના પગ ચમત્કારથી મુગ્ધ હતા તે શાંતમૂર્તિ ચોગીરાજ સાથે ત્રણ કલાક સુધી જ્ઞાનગોષ્ટિ થઈ. બનેના હૃદયમાં આનંદ અને પ્રેમભાવ રેલાઈ રહ્યો. ગ અને ધ્યાનમાં આપણું ચરિત્રનાયક પણ ખૂબ રસ ધરાવતા હતા તેથી તે વિષે પણ વિચાર વિનિ. મય થયો. તીર્થધામ પર આવતાં આક્રમો માટે જેનાચાર્યોની વિશેષ જવાબદારી છે અને હું તે તીર્થધામે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy