SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સમદાય સહીત લહેરથી વિહાર કરી ગયા. બાદશાહે ગાયન ક્લામાં નિપુણ - એલા અન્યગચ્છીય કેઇ એક યતીને પાસે રાખેલ તેને કઈ વખતે પિતાની રાણી સાથે પ્રેમની વાત કરતાં જે તેથી બાદશાહ અતી ક્રોધાતુ થઈ એ હુકમ બહાર પાડે કે મારા રાજ્યની અંદર સર્વ મતના સાધુઓને સ્ત્રીધારી બનાવો અને નહીં માને તેને દેશ પાર કરે તેમજ તખ્ત શહેરમાં કોઈપણ યતીને આવવા દેવા નહીં. આ બાદશાહને સખ્ત હુકમ સાંભળી કેટલાક યત ભયથી સમુદ્રપાર દીપાંતરમાં ગયા, કેટલાક ભયરા આદીમા સંતાઈ ગયા પણ રાજ્ય વિરૂદ્ધ થઈ આ હુકમ રદ કરાવવા કોઇની હીંમત ચાલી નહીં. આ વખતે યુગપ્રધાન શ્રીજીનચંદ્ર સુરીજી અણહીલપુર પાટણમાં હતા. તેમને બાદશાહના આવા હુકમની ખબર પડવાથી જીનમા લેપા તો જાણી તે હુકમ રદ કરાવવા વાસ્તે ત્યાંથી વિહાર કરી અવિલંબે આગરા નજદીક આવ્યા અને કર્મચંદ્ર મંત્રીને ખબર દીધી મંત્રીએ બાદશાહને કહ્યું પૂર્વના પરીચયના લીધે વિરૂદ્ધ નહીં બોલતાં પિતાને હુકમ નીરર્થક ન જાય વાતે મંત્રીને કહ્યું કે મેં રાજ્યમાર્ગે થઈ મેટા શહેરમાં યતીઓને આવવાની મનાઈ કરેલી છે તેથી ગુરૂજી મારા હુકમનો અનાદર નહીં કરતાં લેકેનર માગે ભલે આવે. આ સમાચાર મંત્રીએ આચાર્યશ્રીને પિચાડયા. આચાર્યશ્રીએ સંધાદીકને કારણે મંત્રાદીક કરવા ગીતાર્થે એવું લાભ જાણું કાંબળીમંત્રી નદીમાં બીઝવી તે ઉપર બેસી સમુદાય સહીત નગર કીનારે ઉતર્યા આ બનાવ બાદશાહ મહેલ ઉપરથી જોઈને ચકીત થયો. આચાર્યશ્રી પણ આમ લેકેરમાર્ગે ગામમાં આવ્યા અને અવસરે બાદશાહને મળ્યા. અને તેને ઉપદેશ આપી સર્વ સાધુઓને સ્ત્રીધારી બનાવવાને હુકમ રદ કરાવ્યો અને શ્રમણસંધની આપતી મીટાવી. સર્વ સાધુ જનઆણુ મુજબ વરતી પૃથ્વી ઉપર વિચરે તેમાં રાજ્ય'વર્ગ તરફથી કોઈએ અડચણ નહીં પોચાડવી એવા ફરમાન પત્ર સર્વત્ર મેલી સર્વ સાધુઓને સ્વસ્થીત કીધા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034905
Book TitleShasan Prabhavak Chotha Dadaji Yugpradhan Jinchandrasuriji Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJinduttasuri Gyanbhandar
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1931
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy