________________
નક નિવેદન પર વૈરાગ્યવારિધિ પ.પૂ આચાર્ય ભગવંત શ્રીમદ્દ યશોદેવસૂરિજી મહારાજનું વિ. સં. ૨૦૦૯નું ચાર્તુમાસ મધ્યપ્રાંતમાં હિંગનઘાર મુકામે થયું. ત્યા કોઈ પ્રસંગ પામીને શ્રી જિનેશ્વર ભગવંતને સ્નાત્ર મહોત્સવ ઉજવાયો હતો. નાત્ર મહોત્સવમાં ભાગ લેનાર ભાઈઓએ સ્નાત્ર પૂજાના વિશિષ્ટ વિવેચનની પૂ. આ. મ. પાસે માંગણી કરી. તેઓશ્રીએ મારા પૂ. તારક ગુરૂદેવને જે અનુકુળતા હોય તે વિવેચન તૈયાર કરવા લખી જણાવ્યું, 9. તારક ગુરૂદેવે પરહિતકારી અને શાસનપયોગી અનેક કાર્યોમાં રકાએલા હેવાથી સમયના અભાવે તે વિવેચન લખવાની મને કૃપામય આજ્ઞા કરી. જેના પાલન રૂપે મેં આ વિવેચન તૈયાર કર્યું છે. વિવેચન લખવાના મંગલમય પ્રારંભથી માંડી તેની નિવિન પૂર્ણાહુતિ થવામાં મૂળભૂત નિમિત્ત પૂ આ. દેવશ્રી યશોદેવસૂરિજી મહારાજની શુભ પ્રેરણું છે, તેથી તેઓશ્રીનું પુનીત નામ સમરણ કરી શુભ પ્રેરણું કરવા બદલ કૃતજ્ઞતાને અનુભવું છું.
પરમકાણિક ચારિત્રચૂડામણિ સિધ્ધાતમહોદધિ પૂ. પરમગુરૂદેવ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. તારકગુરૂદેવ મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજની પરમકૃપાથી જ સ્નાત્રનું વિવેચન કરવા હું મંદબુધિ છતાં સમર્થ બની શક્યો છું. પૂ. આચાર્ય ભગવંતે સંસારના કીચ્ચડમાંથી ઉધાર કરી સંયમના પંથે જોડવા બદલ અને ચારિત્ર આપ્યા બાદ સંયમ-સ્વાધ્યાયની પ્રેરણા અને તાલિમ આપવા બદલ મારા જેવા એક પામર જીવ પર જે અગણ્ય અને અનુપમ ઉપકાર કર્યો છે, તેને બદલે તેઓશ્રીની ભવભવ સેવા કરીનેય હું વાળી શકું તેમ નથી. એ ઉપકારની પ્રસાદી જ પારસલેહ' ન્યાયે લેહ જેવા મને પ્રગતિ આપી રહી છે. એઓશ્રીના પુનીત ચ ણે મારા પિટિશ વંદન છે.
આ વિવેચનને અનુભવ મારે તે તદન પહેલે હોવાથી, એ તૈયાર થયા પછી પૂ ગરદેવે દષ્ટિ નીચે કાઢી આપીને તેઓશ્રીએ મારા પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com