SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કયું સાધો છો? અને ભવપરંપરા કેટલી વધારે છે? પોતાના આત્મહિત ખાતર આ બધી જ બાબત મિત્રભાવે વિચારવા કૃપા કરશો? નં. ૨૦–તા. ૧૩-૮-૧૧ ના “સંદેશ”ના લેખની કલમ બીજીના પેરા ત્રીજામાં જૈનાચાર્યશ્રીએ “સંઘરાખેરી એ પાપ છે' શિર્ષક નીચે કહ્યું છે કે–ચા બીડી, પાન, સીગારેટ પાછળ થતો ખર્ચ પેટે ખર્ચ છે. કેાઈ જમવા ટાણે આવે તે જમાડાય, પછી આવે તે પાણી સિવાય બીજો આચાર ન થાય. આમ થાય તો આવક વધે ખર્ચ ઘટે. ખે ખર્ચ હોય છતાં આવક વધે તે તે સંગ્રહ કરે છે.” જૈનાચાર્ય શ્રીએ કરેલી આ માર્ગનુસારપણાના ગુણની વ્યાખ્યા પણ અનવસ્થિત અને અયુક્ત છે. જમવા ટાણે આવેલને જમાડયા પછી તે પાછો આવે ખરે ? છતાં માને કે-જમાડ્યા પછી પણ પાછો આવ્યો તો તે પછી તેને પાણી સિવાય બીજું કાંઈ ન આપે તે ખર્ચ ઘટે, તે વાત તે યુક્ત છે; પરંતુ તેમાં આવક શી રીતે વધે? તે પછી કહે છે કે-“ખોટો ખર્ચ હોય છતાં આવક વધે તે તે સંગ્રહ કરે છે” તો શું જે કઈ સંગ્રહ કરવાવાળા હોય છે તે દરેક પેટા ખર્ચવાળ અને વધારે આવકવાળા છે, એમ આપશ્રીએ જાતે ખાત્રી કરી છે ? આ વતુ એમ જ બને છે, એ શાસ્ત્રમાં આવતા “માર્ગનુસારીને ગુણોનાં વર્ણન' આદિ વર્ણવેલ શાસ્ત્રમાંથી એકાદ પણ ઉલ્લેખ બતાવી શકે તેમ છે ? કે- જેનશાસ્ત્રાનુસારીતાને તજીને હવેથી લોકેને અનુકુળ બોલવાનું જ રાખ્યું છે? “શ્રી ધર્મબિંદુ” સૂત્ર ૨૫ મુજબ “થયઃ' એ તે માર્ગાનુસારી ગુણ છે, પરંતુ આપશ્રીએ જણાવેલ આ ગુણ ને છે? તે જૈનાચાર્યશ્રીએ જાહેર કરવું ઘટે છે. નં. ૨૧-તે લેખનો તે કલમ બીજનાતે ત્રીજા પિરામાં તે પછીથી શરૂ થતી પંક્તિથી જૈનાચાર્યશ્રીએ કહ્યું કે- “સંબંરાખરી એ પાપ છે, બીજાને જે વરતુની જરૂર હોય તેને સંગ્રહ કરવો તે ખરૂં પાપ છે” આ પ્રરૂપણા જૈનાચાર્યશ્રીએ કયા જનશાસ્ત્રના આધારે કરી છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034893
Book TitleJainacharyona Utsutroni Harmala
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy