SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ( ગુજરાતી સેરીસા. અમદાવાદથી કલ સટેશને ઉતરી ત્યાંથી લગભગ અઢી ગાઉ થાય છે. ગાડા વગેરેમાં જવાય છે. સેરીસા એ જુનું પુરાણું શહેર હતું પણ હાલમાં તો નાનું ગામડું છે. સેરીસા માટે કવિ લાવણ્યસમયે એક સ્તવન બનાવેલું છે. જેમાં જણાવેલું છે કે આ શહેર બાર જે જનનું હતું. તે વખતે તેનું નામ પ્રજ્ઞાપુર હતું, તેમાં એક સાંકડી શેરીને ભાગ હતું. ત્યાં આ દેરાસર હતું. આજે તેનાથી આઠ નવ ગાઉ દૂર કડી નામે શહેર છે. સમયના પ્રભાવે કરીને આજે તેના બે વિભાગ પડી ગયા હોય તે બનવાજોગ છે. સેરીસામાં પાળ્યું. નાથને લઢણુ પાર્શ્વનાથ પણ કહેવાય છે. સેરીસા પાર્શ્વનાથ પણ તેને કહે છે. સેરીસા ગામની પૂર્વ દિશાએ ૧૧ વિઘાને નંબર પૂર્વે આ તમામ દેરાસરને ભાગ હતું અને તે જમીન સરકારથી ગોચરમાં ગણવામાં આવેલી હતી. ત્યાં ખેતરમાં ખોદકામ કરતાં ત્રણ પ્રતિમાજી પાર્શ્વનાથજીની ઘણું મટી સર્પની ફણાની ધરનારી ખારાપાષાણની ૪ ફુટ પહોળી, ૩ાા ફુટ ઉંચાઈમાં, ફણા સહીત ફુટ પાંચની નીકળી હતી. બે કાઉસ્સગીયા પણ ખારાપાષાણુના મોટા પહોળા કુટર, ઉંચા ફૂટ ૬-૭, અને રૂષભદેવ ભગવાનની પ્રતિમા આરસની સંપ્રતિ રાજાની ભરાવેલી જણાય છે. અંબિકા દેવીની મૂર્તિ એક છે. એવી રીતે ખોદકામ કરતાં પ્રગટ થઈ હોય તેમ જણાય છે. વિશેષ હકિકત માટે જુઓ પાછળ સેરીસા પાર્શ્વનાથ!' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy