SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ક૬ રૂષભદેવને નમવાને અથે આવેલા તે આ ગિરનાર ઉપર પણ જાત્રા માટે પધારેલા, તેમના ઐરાવણ હાથીના પગલાથી ત્યાં કુંડ થયો તેનું ગજપદ કુંડ એવું નામ પડયું છે. વૈદહજાર નદીના પરિવારવાળી એવી ગંગાનદીનાં જળ આ કુંડમાં આવેલા છે. માટે એ ગજપદ કુંડ પવિત્ર છે. તેના જળમાં સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, સુવાગ, જલદર, ગ્લાની વગેરે નાશ પામે છે, બીજે ધરણેન્દ્રનો ચમરેંદ્રનો વગેરે કુંડે છે. ગિરનાર, કૈલાસ, રૈવતાચલ, ઉજજયંત, સ્વર્ણગિરિ અને નંદભદ્ર એ સર્વ નામે ગીરનારનાં છે. પહેલે આરે ૩૬ જેજન, બીજે આરે ૨૦, ત્રીજે ૧૬, ચેાથે ૧૦, પાંચમે ૨ ને છઠે ૧૦૦ ધનુષ્ય એમ પ્રાય: શાવતા છે. રૂષભદેવ ભગવંતે પિતાના સુરાષ્ટ્ર પુત્રને આ દેશનું રાજ્ય આપવાથી આ દેશનું સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર એવું નામ પડયું. સૌરાષ્ટ્રની રાજ્યધાની જુનાગઢ અથવા વામનસ્થલી ગણાય છે. ૨૫ ઘોઘા. આ ગામ ભાવનગરથી સાત આઠમેલ થાય છે, ઘેડાગાડી બેલગાડી વગેરે વાહન મળે છે, ત્યાં નવખંડા પાર્શ્વનાથની પ્રાચિન પ્રતિમા છે. તે માટે જુઓ નવખંડાપાર્વનાથ. ઘોઘા એ જુનું ને પુરાતની સંભળાય છે. અસલ તે ઘારું મોટું શહેર હતું. પાછળથી ઘોઘા ભાંગીને ભાવનગર વસેલું સંભળાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy