SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ લેતાં એવડા મોટા ખાડા પડી ગયા કે કાળાંતરે ત્યાં તળાવ થયું. પછી તેની વચમાં જળમંદિર ખંધાવેલુ છે. તી જાત્રા કરવા લાયક છે. ભગવાને છેલ્લું ચામાસુ અપાપાપુરીમાં હસ્તિપાળ રાજાની દાનશાળામાં કર્યું હતુ. ૧૬૫ ગુણાયાજી. અહીંથી પગ રસ્તે ગુણાયાજી જવુ, શાસ્ત્રમાં એને ગુણુશીલ ચૈત્ય પણ કહે છે. રાજગૃહીથી સાત કેાશ થાય છે. અહીંયાં વિશાળ ધર્મશાળા છે. ગુણાયાજીને ગુણાવા પણ કહે છે. અહીંયાં વીર ભગવાન સમાસર્યાં હતા. તેમનુ અહીં તળાવમાં એક દેરાસર છે. જેમાં મૂળનાયકજી મહાવીર સ્વામી છે. ત્યાં જવાને વચમાં પુલ માંધેલા છે. ગીતમ સ્વામીનાં પગલાં તેમજ અગીયાર ગણધરનાં, આદીશ્વર, તૈમનાથ, વાસુપૂજ્ય તેમજ મહાવીરસ્વામી અને વીશ તીર્થંકરનાં પગલાં બહાર ભમતીમાં આવેલાં છે. અહીંથી એક મેલ દૂર નવાડા સ્ટેશનનું ગામ છે. ૧૬૬ રાજગૃહી. મગધ દેશમાં આ શહેર અસલ મહાવીરસ્વામીના સમયમાં રાજ્યધાનીનું શહેર હતુ. ભગવંતના શિષ્ય શ્રેણિક મહારાજ તે વખતે મગધ દેશના હાકેમ ( રાજા ) હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy