SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ભાગ પહલામાં તે જે પૂ. પ્રોષનો અર્થ, આ. શ્રી સિદ્ધિસૂરિજી મ ના પ્રશિષ્ય મુનિ શ્રી ભદ્રકવિજયજીએ પણ તમારા વાદે ચડી જવાના પરિણામે જ તેવો ખોટો કરેલ છે, એ વાત પણ નક્કી થઈ જાય છે કે ? (૧૫ પેજ ૨૯ના બીજા પેનમાં “ તે વખતે પૂનમ, ચૌદશમાં સમાતી હતી અને સચિત્તત્યાગ, બ્રહ્મચર્ય તેમજ પ્રતિક્રમણાદિ બીજી આરાધના આવી જતી” એમ લખ્યું છે તે શાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાથી સદતર વિરુદ્ધ છે. આ અસત્યના ઉદ્દઘાટન’ના સાતમા નંબરમાં જણાવેલ દશાશ્રુતસ્કંધ વગેરેની ચૂણિ નિર્યુક્તિઓ આદિમાંને મિક તરંથો ’ પાઠ અને તમારું છઠ્ઠા વર્ષનું જૈન પ્રવચન છાપું પણ સ્પષ્ટ જણાવે છે કે-પૂનમના ક્ષય વખતે પૂનમમાં ચૌદશ સમાતી નથી, પણ પૂનમપણે સ્વતંત્ર ઊભી જ રહે છે ક્ષીણ પૂનમને પૂનમ તરીકે ઊભી રાખવાનું જણાવનારા આવા સ્પષ્ટ આગમસૂત્રના પણ મજબૂત ૫ ઠ હોવા છતાં અને સં. ૧૯૯૨ સુધી તે પોતે પણ પૂનમના ક્ષયે પિતાના પંચાંગમાં તેરસને ક્ષમા કરીને ક્ષીણ પૂનમને ઉદયાત પૂનમ તરીકે જ વષો સુધી છાપેલી–પ્રચારેલી અને આચરેલો હોવા છતાં, “પૂ. હરિજી મ. વખતે પૂનમ ચૌદશમાં હતી” આજે તેવું આગમ અને આચરણાવિદ્ધ બનવું થાય છે, તે ખૂબ જ લજજાસ્પદ લેખાવું જોઈએ નવો મત કાઢયો ત્યારથી આવું બેવજુદ વકતવ્ય કરવા તે લાગ્યા છે, પરંતુ કાર્તિકી પૂનમના ક્ષયે, ચિત્રો પુનમના ક્ષયે, આસો સુદ ૧૫ ના ક્ષયે તમે પણ તે ક્ષણ પૂનમને ચૌદશમાં સમાવી શકતા જ નથી, એ તે ઉઘાડી જ વાત છે ને ? છતાં આ રીતે પૂનમ ચૌદશમાં સમાઈ જવાનું લખે રાખીને અજ્ઞજનતાને સન્માર્ગથી ભ્રષ્ટ કરવાનું ઘેર પાપ કેવા પ્રકારના ભલા માટે કરવું પડતું હશે ? “ચૌદશ પૂનમ બંનેનું એક દિવસે આરાધન થઈ જ જાય છે' એમ બોલો નાખવું તે સહેલું છે, પરંતુ પાલીતાણે ચોમાસું હોય અને આવતા વર્ષે કા. શુ. ૧૫ ને ક્ષય હોય ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy