SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] વર કે વરપક્ષ કે પૈકી જે તેવું પગલું ભરશે તેને તાલુકા મહાજન તાકીદ કરશે. અને છતાં જે તે મહાજનશ્રીની તાકીદને ગણકારશે નહિ તે તે હકીકત દેશાવરી મહાજન કમીટીને જણાવવી અને દેશાવરી કમિટિએ તેનું વેશવાળ બીજુ કોઇ ભૂલથી કરે નહિ, માટે યોગ્ય સ્થળે ખબર આપવા. (૧૫૫) તાલુકા મહાજનની સમ્પત્તિ વિના જે કઈ વેશવાળા છોડી અને બીજે કરશે તે તે ગુન્હો કરનાર વર તથા નવે સંબંધ કરનાર કન્યાવાળાને એક વર્ષ સુધી જ્ઞાતિ વહેવાર બંધ કરવા અને રૂા. ૫૦૦) સુધી દંડ કરવાને તાલુકા મહાજનને અધિકાર છે. અને જે દેશાવરી મહાજનની મનાઈ હુકમનો ભંગ થયો હશે તે વર તથા કન્યા પક્ષના ગુન્હેગારને બે વર્ષ સુધી જ્ઞાતિ-વ્યવહાર બંધ રાખવા અને રૂા. એક હજાર સુધી દંડ કરવો. આ દંડની રકમ ઉપર તેના તાલુકા મહાજનને અધિકાર ગણાશે અને તેવા વેશવાળ કે લગ્નમાં સામેલ થનારને ચગ્ય સજા કરવાને તાલુકા મહાજનને સત્તા છે. (૧૫૬) કાઈ પણ શન્સનું વેશવાળ થયા પછી તે વરને ભયંકર વ્યાધિ થયો હોય, અથવા તેનું નપુંસકપણું માલુમ પડ્યું હોય, અથવા તે વટલી ગયો હોય, તો જે ગામને તે વર હોય તે ગામના તાલુકાના મહાજનની પાસે કન્યાવાળાએ જઇને કન્યાને છુટકારે કરવાની અરજ કરવી. પછી સદરહ તાલુકાનું મહાજન વૈદ અથવા દાક્તરની મદદથી તથા બીજા પુરાવાથી તે. બાબતની પોતાની ખાત્રી કરે અને તેઓને ખાત્રી થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034830
Book TitleGohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Original Sutra AuthorN/A
AuthorGohelwad Visha Shrimali Mahajan
PublisherGohelwad Visha Shrimali Mahajan
Publication Year1933
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy