SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષ સાથે દેશાવરે મૂકેલા પ્રતિબંધ અને કન્યા લેનાર–દેનાર સામેના ઠરાવ પણ ઉદારતાથી ખેંચી લેવામાં આવ્યા હતા. - ઉપરોકત અસલ કરાવને દેશાવરી મહાજનને દફતરે નેંધ લેતાં તેમાં દેશાવરી દરેક તાલુકાના પ્રતિનિધિઓની સહી લેવામાં આવી અને તે નીચે ઉપરોકત ઠરાવ અને જ્ઞાતિના ધારાધોરણુ દરેકે પાળવા પળાવવાની કબુલાત માટે બન્ને પ્રતિનિધિઓએ સહીઓ કરતાં સર્વત્ર આનંદ ફેલાયો હતો. આ પ્રમાણે પાંચ વર્ષથી ચાલતા પરજ્ઞાતિના પ્રકરણનું શાંતિ સમાધાનીથી છેવટ આવતાં ભાવનગરથી વેરા જુઠાભાઈ સાકરચંદ, શા. નાનચંદ કુંવરજી, શા. જાદવજી નરશી, શા. કુંવરજી નથુભાઈ, શેઠ અનેપચંદ ગેવિંદજી, શા. છેટાલાલ નાનચંદ વગેરે ભાઈઓ આવ્યા હતા. અને પ્રેમમિલન થયા બાદ સંમેલનના જમણમાં ભાગ લીધો હતો. સંમેલન દરમિયાન જ્ઞાતિભાઈઓમાં અપૂર્વ ઉત્સાહ નજરે તરી આવતા હતા, એટલું જ નહિ પણ જ્ઞાતિના આવા બહેળા સમુદાયની ભક્તિને લાભ લેવાની ભાવનાથી નીચે પ્રમાણે જમગુવાર તથા ચા-નાસ્તાને સત્કાર કરવામાં આવ્યો હતે. શ્રી સુરકાવાળા શા. કાળા ગગલ તરફથી એક ટંક જમણ શ્રી પાલીતાણા મહાજન તરફથી એક દિવસ જમણ શ્રી ભાવનગર મહાજનના પ્રતિનિધિઓ તરફથી એક દિવસ જમણ શ્રી શીહોરવાળા શા. પ્રાગજીભાઈ ઝવેરચંદ તરફથી એક દિવસનું જમણુ તથા ચા નાસ્તો. શ્રી મહુવા તથા કુંડલા મહાજનના પ્રતિનિધિ તરફથી એક દિવસ જમણ. શ્રી પાલીતાણાવાળા શા. મગનલાલ તારાચંદ તરફથી એક ટંકનું જમણ. શ્રી વળી મહાજન તથા જસાણ તારાચંદ વાલજી તરફથી . એક ટંક જમણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034830
Book TitleGohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Original Sutra AuthorN/A
AuthorGohelwad Visha Shrimali Mahajan
PublisherGohelwad Visha Shrimali Mahajan
Publication Year1933
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy