SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરક બો. સ્વામી ! ધર્મરૂચી અણગાર સાલણું લઈને પાછા વળી, ધમષ સ્થવિર પાસે કેમ ન આવ્યા? ઉત્તર-સુશિષ્ય હોય તે ગુરૂનો અભિપ્રાણ જાણે. જે મને કેમ કહેશે કે તમે ભેગો અને જીવહિંસાની પણ આજ્ઞા ન હોય, આજ્ઞા તેજ દયાની, તે અભિપ્રાય જાણું ગુરૂની આજ્ઞા માંગવા ન આવ્યા, એટલે એમ જાણ્યું કે જ્યાં જીવની દયા ત્યાં ગુરૂની આજ્ઞા જ છે, એટલે આજ્ઞા દયા રૂપ જ દીસે છે. કેટલાક એમ પ્રશ્ન કરે છે કે અમારે આજ્ઞા એ ધર્મ કે દયા એ ધર્મ ? તેને ઉત્તર–આ ધર્મરૂચી અણગારના અધ્યયનથી જણાયું કે જ્યાં દયા ત્યાં જ આજ્ઞા. અને આજ્ઞા દયા રૂપ જ દોસે છે. એટલે, દયાધર્મ મોક્ષવૃત્તિ કહીએ. શ્રી વીતરાગે ઘણું સૂત્રમાં ઘણી જગ્યાએ દયાધર્મ વખાણ્યો છે. અને દયા તે આજ્ઞા રૂપ જ છે. વળી સૂત્રની સાખ કહી છે. સુયગડાંગના ૯ મા અધ્યયનમાં પાઠ છે - જછન્નતંવત્તથ્થ, એસા આણનિયંઠિયા, તથા નદી ઉતરતાં, ગુરૂ વાંદવા જતાં જે અજયણે થાય છે તે શક્ય પરિહાર છે. અને અજયણાએ જાતાં જે દોષ લાગે તે વીતરાગને વચને આલોવવું સહે છે અને પ્રતિમા પૂજતાં જીવહિંસા થાય છે. તેનું આવવું સહતા નથી. તે આજ્ઞાધર્મ કયાં રહ્યો ? તે માટે વિતરાગની આજ્ઞા અહિંસા રૂપ છે, વલી વિતરાગે કહ્યું –સંવરદ્વારને છેડે, ફાસિય ઇત્યાદિક ફરસે, સેવે, તે આજ્ઞાએ આરાધિક હેય, તે માટે એ થોડું શું લખ્યું છે, તેથી સૂત્રમાં વિચારી વિસ્તાર કરીએ, પણ સર્વ સિદ્ધાંતનું રહસ્ય એ, જે પરમાર્થે આજ્ઞા ત્યાં દયા, દયા તે આજ્ઞા રૂ૫ જ જાણવી, પણ એમ નહિ કે આજ્ઞા જુદી અને દયા જુદી, એમ ન સહિએ, પણ એમ સહિએ કે દયા તેજ આજ્ઞા છે. ધર્મ રૂચી ઋષિની પેરે. (૧) એ આજ્ઞા દયા એક, પ્રશ્નોત્તર સૂત્ર રીતે કહ્યો. હવે બીજો પ્રશ્નોત્તર કહે છે. તેને પાઠ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034818
Book TitleDropadini Charcha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Sanghvi
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1937
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy