________________
નિવેદન આ પુસ્તકના મૂળ લેખક છે દરિયાપુરી સ્થા. જૈન સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમાન ધર્મસિહજી મુનિ. તેમનો સમયકાળ હતો સં. ૧૯૭૦ થી સં. ૧૭૨૮ સુધી. શિથિલાચારી યતિ વર્ગમાં પ્રથમ દીક્ષા લઇ અનેક સૂનું રહસ્ય પામી, તેઓ સંવત ૧૬૮૫ માં સાચા ત્યાગને પંથે વન્યા. અને પછી તેમણે જે શાસ્ત્રિય અને ઔપદેશિક કાર્ય કર્યું છે, તે ઘણું જ અદ્ભુત અને મનનીય છે. તેમના જીવનનાં ઉજવળ પૃષ્ઠો જીજ્ઞાસુઓએ અન્ય પુસ્તકે - દ્વારા ઉકેલી લેવા.
- તેઓશ્રીને શાસ્ત્ર શેખ અપ્રતિમ હતો, લગભગ ૨૭ સૂત્રો પર ભાષ્ય રીને તેમણે સમસ્ત સાધુ સાધ્વીઓ માટે વાંચમાં સરળતા કરી આપીને - ભાર ઉપકાર કર્યો છે. તીવ્ર સ્મરણશક્તિ, શુદ્ધાચાર, યુદ્ધ દયા, નિર્દભ, વિવેક, સમજાવવાની અદ્દભુત શક્તિ એ વગેરે ગુણેથી તેમણે અનેક જીજ્ઞાસુઓનાં મન જીતી લીધાં હતાં.
તેમણે લખેલ અનેક ગ્રંથે-સમવાયાંગ, વ્યવહાર, સૂત્રસમાધિ વગેરેની હિડી, ભગવતી, પન્નવણ, ઠાણાંગ વગેરે સૂત્રોના જંત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિની ટીપ, સાધુ સમાચારી, સામાયકની ચર્ચા, દ્રૌપદીની ચચાં, ધર્મસિંહ બાવની, અનેક યં, સ્તુતિઓ વગેરેમાંથી અહિંયા “દ્રૌપદીની ચચા” પ્રકાશિત કરવામાં આવે છે. જે વાંચી વાચકે તે સમયની યુતિવાદની શિથિલતાનો, મૂર્તિવાદના અનિષ્ટ તત્ત્વોને તથા સૂત્રના શુદ્ધ અને બદલે કરવામાં આવતાં અન એ વગેરેને આછોપાતળે અનુભવ કરી શકશે.
તેમના સાધુ અને શ્રાવક અનુયાયીજને જે પુરાતન ભંડારમાંથી તેમના હસ્તલિખિત સાહિત્યને એકત્રિત કરી પ્રકાશિત કરવાનું મન પર લ્ય તે આજે સમાજ પર ઘણે ઉપકાર થાય તેમ છે.
આ હસ્તલિખિત પ્રતિ વીસલપુરના ગ્રંથ ભંડારમાંથી મેળવી આપવા બદલ દરિયાપુરી સંપ્રદાયના ૫. મુનિ શ્રી મૂલચંદ્રજી મ. ને હું પણ છું.
જીની ભાષા ઉકેલવામાં પડતી મુશ્કેલી દૂર કરી મુફ શુદ્ધિના કાર્યમાં પિતાના અમુલ્ય સમયને ભેમ આપી મને સહાય આપનાર દસં. ના વિનયશીલ મુનિશ્રી ભાઈચંદ્રજી મ. સા. ને તથા લીંબડી સં. ને પં. મુનિ શ્રી છોટાલાલજી મ. સા. ને હું ખૂબજ આભારી છું.
આ પુસ્તક જુની ભાષામાં પાના પર જેમ હતું તેમ સહજ શાબ્દિક કેર સાથે છાપવામાં આવ્યું છે. ભાષા અસલી હાઈ ધીરે ધીરે વાંચતા સમજી શકાય તેમ છે. સમય ઓછો હાઈ તથા જરૂરી આગમો લભ્ય ન હોઈ, તેમજ લહિયાઓની અશુદ્ધિથી, કાળજી છતાં આમાંના પ્રાકૃત મૂળ કે–ગાથાઆમાં ઘણી ખરી ક્ષતિ આવી ગઈ છે તે માટે વાચકો દરગુજર કરશે, એવી વિનતિ કરું છું. કિંબહુના સુષ ! શ્રાવણ શુકલ પંચમી
જીવનલાલ સંધવી. ૧૯૯૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com