SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સેધકોના અભાવને લીધે દૈનિશ્વિન નષ્ટ થઈ રહી છે અથવા તે અમે એના મહત્વથી જ અપરિચિત છીએ ! પૂર્વ પુરૂષાએ શ્રેમપૂર્વક સંચિત કરેલી સમ્પત્તિની આ પ્રમાણે દુર્દશા જોઈ અમારું હૃદય પરિતાપની વિષમ જવાલામાં ભસ્મ થઈ જાય છે ! આવા મહત્વપૂર્ણ કાર્યમાં પૂર્ણતયા મદદ આપવા માટે સેંકડે મુનિ અને વિદ્વાની આવશ્યકતા છે, જેના બદલે આજ તે ગણ્યાગાંઠયા વિદ્વાનને જ અમે આ પુનીત કાર્યમાં રત જોઈએ છીએ ! એવા લોકો પર અમને આંસુ આવે છે જેની પાસે આવશ્યક સાધન બળ અને ધન હોવા છતાં પણ આજના પ્રગતિશીલ યુગમાં ચુપ થઇને બેઠા છે. રાષ્ટ્રભાષા(હિંદી)માં જૈન સાહિત્યને પ્રચાર નહિ બરોબર છે. ગુજરાતી સમાજમાં જરૂર જાગૃતિ છે, છતાં પણ વિશાલ જૈન સાહિત્ય માટે તે મણમાં કણ સમાન જ છે, હજી અનવેષણ અને પરિશીલનની અત્યંત આવશ્યકતા છે, એ સ્વર્ણયુગ ક્યારે આવશે ? જ્યારે અમે. ભારતના પ્રત્યેક સંગ્રહાલયને જૈન સાહિત્ય રત્નમાલાથી વિભૂષિત જોઈશું અને પ્રાચીન અવશેષને સંગ્રહાત્મક “મ્યુઝિયમ” પણ દેખીશું. ક્ષમા કલ્યાણજી કૃત પટ્ટાવલી અને જીવન પ્રભા પર વિચાર દાદાસાહેબના સમ્બન્ધમાં અનેક ચમત્કાર વિષયક પ્રવાદ પ્રચલિત છે, મહે રામલાલજી યતિ કૃત “દાદાજીની પૂજા'માં અનેક વાતે લખી છે. પરંતુ પાછળની પદાવલિમાં વિશુદ્ધ એતિહાસિક વાતને અભાવ જોવામાં આવે છે. શ્રાજિનવિજયની સંગ્રહિત “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહમાં ૩ પટ્ટાવલિયે અને એક સૂરિ પરંપરા પ્રશસ્તિ છપાઈ છે. બધાયમાં મોટી કૃતિ ઉપાધ્યાય શ્રાક્ષમા ક૯યાણજી કૃત પટ્ટાવલી છે. આનું નિર્માણ સં. ૧૮૩૦માં થયું તેને જોતાં જણાય છે કે પ્રાચીન ગુર્નાવલી-જે અત્યારે તેમના ભંડારમાં છે. તેમની દૃષ્ટિમાં આવી નહીં હોય, જે આવી હતી તે ઘણએ દંતકથાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy