SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ભારતવર્ષના ઈતિહાસમાં સિલ્વદેશનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર આર્યાવર્તના સાંસ્કૃતિક ગૌરવને ઉજજવલ કરતા અનેક સાધને સિન્ધ દેશાન્તર્ગત “મોહેન જોડેશે”નાં ખંડેરામાં વિદ્યમાન છે, અહીંનું પુરાતત્વ સાધન સંસારમાં વિખ્યાત છે. સર્વ કલાઓનું સમન્વયાત્મક પ્રાચીન કેન્દ્ર પણ છે. ભારતના નામકરણ હિન્દુસ્તાન સાથે પણ એજ દેશની નદીને ઈતિહાસ સંકળાયેલ છે. જો કે ત્યાં જૈન ધર્મને સમ્બન્ધ સાંધના અવશેષે પણ મળ્યાં છે. પરંતુ મહાકાળચક્રના પ્રભાવથી ક્રમશ: જૈન ધર્મ ત્યાંથી ક્ષીણ થતે ગયે, અને અશ્વિનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજના સમયમાં જે કે જૈનેનું થોડું ઘણું પણ આધિપત્ય અવશ્ય હતું. છતાંએ અપેક્ષાકૃત ત્યાં મિથ્યાત્વનો પ્રચાર વિશેષ પરિમાણમાં હતું, જ્યાં અજ્ઞાનનું સામ્રાજ્ય વ્યાપ્ત હેય ત્યાં અંધારું સ્વાભાવિક રીતે હોય, એ સર્વમાન્ય સત્ય છે, ત્યાંની જનતાના વ્યાપક અજ્ઞાનને ઉમૂલન કરવા સાથે વીતરાગ પરમાત્મા દ્વારા પ્રરૂપિત સન્માર્ગ પ્રવર્તનમાં આચાર્ય શ્રીને બધી રીતે યોગ્ય અને સમર્થ જાણે ઉચ્ચનગર તથા દેવરાજપુર (બડાવલપુર સ્ટેટ)ના શ્રી સમ્પત્તિથી મહાન સમૃદ્ધ શ્રાવકાએ સિબ્ધ પ્રાન્તમાં પધારવા માટે આચાર્યશ્રીને વિનંતી કરી. સિલ્પના ભાગ્ય સારાં હતાં જેથી તેમની વિનંતીને વગર આનાકાનીએ સ્વીકાર થઈ ગયે, ગુરૂમહારાજે પણ જિનશાસનની પ્રભાવના રૂપ લાભ જાણી જારથી વિહાર કર્યો, સમિયાણું ખેડનગરાદિ મરુસ્થલના પ્રમુખ જેસલમેર મહાહગ કે જે બારેમાસ દુષ્કાળનું નિવાસ સ્થાન છે. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy