________________
(૧૪) ૧૦ જેને કોમમાં ચાલતા હાનીકારક સંસારીક રીત રીવાજોમાં સુધારો કરવાને યોગ્ય પ્રયત્ન કરે જોઈએ. તે રીવાજોની તપસીલ.
અ-વહેમી માનતાઓ અને મિથ્યાત્વ સેવન. બ-લગ્નમાં અઘટીત ખર્ચ અને વેશ્યા નાચ. ક-મરણ પછીનું બેશરમ રેવું કુટવું અને જમણ. ડ-અગરણ માં જમણ અને બ્રહ્મ ભજન. ઈ-કન્યા વિય, બાળલગ્ન, વૃધ વિવાહ અને એક કરતાં વધારે
સ્ત્રી કરવાનો રીવાજ. ફ-દારૂ પીવાની પેસી ગએલી રસમ. ગ-લગ્નાદિ સંસ્કાર વિધિ મિથ્યાત્વી થાય છે. આ રીવાજમાં સુધારો થવા જરૂર છે.
૧૧ કોન્ફરન્સનું કામ કાજ ચાલુ કરવાને જનરલ સેક્રેટરી તથા પ્રાંતિક (પ્રેવીનશીયલ) સેક્રેટરી મુકરર કરવા (આ પ્રસંગે વધારે ઘટાડો કરવાની કોન્ફરન્સની સત્તા સાથે પ્રાંતવાર સેક્રેટરીઓ ચુંટી કાઢવામાં આવ્યા હતા)
૧૨ આવતી બીજી કોન્ફરન્સ પાલીતાણે અનુકુળ વખતે ભરવી. પહેલી કોન્ફરન્સના ચૂંટાએલા પ્રવીન્સીઅલ સેક્રેટરી. મુંબઈ ઈલાકો–મુંબઈ શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદ જે.પી. ગુજરાત–અમદાવાદ શા મતદલાલ કશળચંદ. કાઠિયાવાડ–ભાવનગર દેશી કુંવરજી આણંદજી. દક્ષિણ-પુના શેઠ નાનચંદ ભગવાન.
ગ્વાલીએ શેઠ નથમલજી ગુલેચ્છા. માળવા–ઇદેર શેઠ લર્મિચંદજી સીઆણું. પંજાબ–લાહોર મી. જસવંતરાય જઈની. બંગાળા-કલકત્તા ઝવેરી મેતીચંદ લાભચંદ.
શેઠ જેઠાભાઇ જયચંદ. જયપુર શાહ સુજાણુ મલજી લલવાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com