SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલ થાક ઉતારવા વૃક્ષની નીચે લાંબા થઈને સૂતા. એ ફળ ઝેરી કિપાકવૃક્ષનાં હતાં. ધીમે ધીમે એનું ઝેર ભીલેની રગેરગમાં પ્રસર્યું અને સૂતા પછી પાછા ઊડી પણ ન શક્યા. ત્યાં ને ત્યાં જ તેમના પ્રાણ ઊડી ગયા. આ દેખાવ જોઈ વંકચૂલના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ગુરુવાણીનું મહામ્ય અનુભવી વધુ આસ્થાવાન બન્યા. ગુરુ-મહારાજે જ પિતાને જીવિતદાન આપ્યું એમ વિચારી તેમને ઉપકાર માનવા લાગે. ત્યાંથી રવાના થઈ રાતના લગભગ પહેલા પહેરે ઘેર પહોંચ્યા. સામાન્ય રીતે પલ્લીમાં આ સૂવાને ગ્ય વખત નહેતે, છતાં વંકચૂલે જોયું કે સા કઈ ભરનિદ્રામાં પડયું હતું. મંદ મંદ પગલે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એક બાજુ ઝાંખો દી બળતો હતે. એ દીવાના પ્રકાશમાં, પોતાના જ પલંગ ઉપર એક પુરુષ અને સ્ત્રીને છેક પાસે પાસે સૂતેલા સગી આંખે નીહાળ્યાં. દેખાવ જોતાં જ તેનું શાંત લોહી એકદમ તપી આવ્યું. તે વિચારવા લાગ્ય: જરૂર, આ મારી સ્ત્રી દુરાચારિણું છે અને મારી ગેરહાજરીને લાભ લેવા માટે જ પિતાના આશકને આજે અહીં બેલા લાગે છે.” તેનું મગજ બહેર મારી ગયું. તે વધુ વિચાર કરે તે પહેલાં તે તેને હાથ કમરે બાંધેલી તલવાર ઉપર પડ્યો અને જે નિદ્રાધીન પુરુષને શિરછેદ કરવા જાય છે એટલામાં જ ગુરુમહારાજે આપેલી પ્રતિજ્ઞા તેના સ્મૃતિપટ ઉપર તરી આવી. પ્રતિજ્ઞાને અનુસરી, ફોધમાં ને કોધમાં સાત ડગલાં પાછો ફર્યો. તે જ વખતે ભાગ્યને તેની તલવાર બારણું સાથે જોરથી અફળાઈ. એ અવાજ સાંભળતાં જ પુરુષના વેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy