SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રજૂ કરેલ છે. રાત્રિભાજન નહિ કરનાર અને તે વ્રતમાં ગમે તેવા કષ્ટદાયી ઉપસર્ગો આવે છતાં દૃઢ રહેનાર પ્રાણી કેવા ઉત્તમ વૈભવ આ ભવમાં. તરતમાં જ મેળવી શકે છે તે દર્શાવવા આ દૃષ્ટાંતમાં પૂરતા પ્રયાસ કરેલ છે. મુનિમહારાજના છઠ્ઠા વ્રત તરીકે ગણાતા અને શ્રાવકાને તથા અન્ય સર્વાંને પણ અવશ્ય આચરવા લાયક નિયમનું ખાસ સમર્થન આ દૃષ્ટાંત કરે છે. ખાસ વાંચવા લાયક છે. ( ૮ ) વંકચૂલ-માનસિક તથા શારીરિક અને આર્થિક અધઃપતન થયા છતાં નાના સરખા નિયમમાં પણ નિશ્ચળ રહેનાર પ્રાણી પાછા સત્વ આ જ ભવમાં ઉન્નત પદે પહેાંચી શકે છે અને ભાવીસુખ પણ સાધી શકે છે, તે હકીકત આ દૃષ્ટાંતમાં સ્પષ્ટ રીતે સમજાવી છે. શ્રાવકના સાતમા વ્રત તરીકે પ્રખ્યાતિ પામેલ ભાગે ભાગ વિરમણ વ્રતમાં આવતા અભક્ષ્ય ત્યાગ, અજાણી વનસ્પાદિને ત્યાગ, માંસ મદિરા ત્યાગ વગેરેથી થતા આ ભવસબંધીના પ્રત્યક્ષ ફાયદાએ ઉન્નતિને પ્રાપ્ત કરેલ વંકચૂલનું દૃષ્ટાંત સુંદર રીતે બતાવે છે. આ પુસ્તકમાં મૂકવામાં આવેલ ઉપર જગુાવેલી આઠે કથા આવી રીતે ખાસ વાંચવા લાયક જુદી જુદી જાતિની પ્રગતિ કરાવનારા, સંસાર ઘટાડનારા વિષયે। . ચચે છે અને ઉત્તમ દૃષ્ટાંતાથી તે તે ગુણા બને તેટલા વધારે પ્રમાણમાં પેતામાં ઉતારવા વાંચનાર અને શ્રવણુ કરનાર સર્વને પ્રેરણા કરે છે. કથાએની બાબતમાં લેખક મહાશય પ્રથમાવૃત્તિની પ્રસ્તાવનામાં બરેાબર લખે છે કેઃ- જેએએ લેશ માત્ર પશુ વિદ્યાનુ... અધ્યયન કર્યું ન હેાય તેવાએને પણ કથાવિષય સાંભળ 66 ૧ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફ્થી ધણા વર્ષો અગાઉ ચિરતાવળીના ત્રણ ભાગેા બહાર પડેલા છે. તેમાંના પહેલા ભાગમાંથી આ આઠ થા લીધેલી છે. તેના મૂળ લેખક તે સભાના મંત્રી અમરચંદું ઘેલાભાઇ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy