SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ હું ( લગ્ન પ્રકરણ ) ૨૮ કોઈ શખ્સ પોતાની કન્યાને ૧૪ વર્ષની ઉમર પુરી થયાં પહેલાં પરણાવવી નહિં ૨૯ કન્યાની ઉમર ૧૫ વર્ષની પુરી થયેકન્યાવાળાએ કહેવરાવ્યા છતાં વરવાળા સબળ કારણ સિવાય લગ્ન કરવાની ના પાડે તે કન્યાવાળાની ફરીયાદ આવ્યા પછી એક વર્ષની મુદત સુધીમાં જ્ઞાતિએ ફરમાવ્યા છતાં વરવાળાએ લગ્ન નહીં કર્યું હોય, તે તેવી કન્યાને વેશવાળમાંથી જ્ઞાતિ મુકત કરશે. કન્યાવાળાએ વરવાળાને ઘરેણું અને પલ્લું પાછું આપવું. ૩૦ (બ) કન્યાની ઉમર ૧૪ વર્ષની પુરી થયે વરવાળાએ કહેવરાવ્યા છતાં કન્યાવાળા સબળ કારણ સિવાય લગ્ન કરવાની ના પાડે તે વરવાળાની ફરીયાદ આવ્યા પછી એક વર્ષની મુદત સુધીમાં જ્ઞાતિએ ફરમાવ્યા છતાં કન્યાવાળાએ લગ્ન કર્યું નહીં હોય તે કન્યાવાળાને પરણાવવાની જ્ઞાતિ ફરજ પાડશે, અને તેમ નહીં કરે, તે જ્ઞાતિ કન્યાવાળાને સખ્તમાં સખ્ત સજા કરશે. ૩૧ લગ્ન લઈ આવનાર ગામવાળા કે પરગામવાળા હોય તો પણ બન્નેને એક સરખી રીતે શીખના રૂ. ૨) આપવા સાથે આવનારને શ્રીફળને એક આને આપ, અને શ્રીફળ લઈને બ્રાહ્મણ આવે તે તેને શીખને રૂ. ૧) આપવો. વિરૂદ્ધ વર્તનારને એક રૂા. દંડ થશે. જુહારના રૂા.૨) કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034778
Book TitleBhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Original Sutra AuthorN/A
AuthorDasha Shrimali Moti Gnati
PublisherDasha Shrimali Moti Gnati
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy